Abtak Media Google News
  • કસ્ટમ અધિકારીઓએ સામાનની તપાસ કરી ‘તિ: સીઝ કરાયેલા મશીન  મિસાઈલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા

ભારતીય સુરક્ષા દળોએ ચીનથી મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર પહોંચેલા જહાજને અટકાવ્યું હતું. એવી આશંકા છે કે જહાજમાં રહેલી સામગ્રીનો ઉપયોગ પાકિસ્તાનમાં મિસાઈલ બનાવવા માટે કરવામાં આવશે. જાસૂસોએ જહાજ વિશે કસ્ટમ અધિકારીઓને સૂચના આપી હતી. સીએમએ-સીજીએમ જહાજ ચીનથી પાકિસ્તાન જઈ રહ્યું હતું.

જહાજને અટકાવ્યા પછી, ભારતીય કસ્ટમ અધિકારીઓએ તેના પર લોડ થયેલા સામાનની તપાસ કરી હતી. જહાજમાં કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીનો હતા. ડીઆરડીઓની ટીમ દ્વારા બોર્ડ પરના સામાનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે આ મશીનનો ઉપયોગ પાકિસ્તાન મિસાઈલ બનાવવા માટે કરવામાં આવશે. ગુપ્તચર વિભાગે ભારતીય સુરક્ષા અધિકારીઓને ચીનથી કરાચી જઈ રહેલા જહાજ અંગે માહિતી આપી હતી. ત્યારપછી ભારતીય સુરક્ષા ગાર્ડ્સ સતર્ક થઈ ગયા હતા અને મુંબઈના જેએનપીએ પોર્ટ પર જહાજને અટકાવ્યું હતું

ભારતીય સુરક્ષા દળોએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેડીંગના બિલ અને અન્ય દસ્તાવેજો અનુસાર, બોર્ડ પરનો સામાન શાંઘાઈ જેએક્સઈ ગ્લોબલ લોજિસ્ટિક્સ કંપની લિમિટેડમાંથી લોડ કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ સિયાલકોટમાં પાકિસ્તાન વિંગ્સ પ્રાઈવેટ લિમિટેડને પહોંચાડવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.