Abtak Media Google News

કેસર હોય કે હાફુસ

દેશમાં થતી 1500 જેટલી જાત પૈકી એક હજાર કેરીની  જાતો વ્યવસાયિક રીતે સામેલ: વિશ્ર્વમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે, દર વર્ષે આપણા  દેશમાં 20 કરોડ ટનથી વધુ ઉત્પાદન સાથે વિશ્ર્વના 40થી વધુ દેશોમાં નિકાસ કરે છે

 

20230220 130010

 

પ્રાચીન કાળમાં એકલા જૂનાગઢ જિલ્લામાં 100થી વધુ જાતની કેરીનું   ઉત્પાદન થતું હતુ: હિન્દુ ધર્મના દરેક ગ્રંથમાં આ ફળનો ઉલ્લેખ જોવા મળે છે: આંબો 50 વર્ષ સુધી અને હાફુસ 200 વર્ષ સુધી ફળ આપે છે: 1932માં જૂનાગઢ ખાતે કેસર કેરીની વિચાર ગોષ્ઠી યોજાય હતી અને 1955માં મુંબઈ ખાતેના કેરી પ્રદર્શનમાં જૂનાગઢની કેસર કેરીને ‘ગોલ્ડ મેડલ’ મળ્યો હતો

એક કેરીની જાત બહુજ વજનદાર હોવાથી તેનું નામ ‘હાથી જુલ’ પાડવામાં આવ્યું હતુ: કેરી વિશ્ર્વનો   ત્રીજા નંબરનો ફળાઉ પાક છે: મહારાષ્ટ્રની  અલફ્રાન્ઝો અને પાયરી જેવી કેરી વેપારીની દ્રષ્ટિએ  શ્રેષ્ઠ ગણાય છે: ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે

સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ભાવનગર, જામનગર અને  મોરબી જિલ્લામાં પણ કેરી થાય છે: ભારતમાં તામિલનાડુ,બિહાર, બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ,  મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેરીનો પાક વધુ થાય છે: વૈજ્ઞાનિક વર્ગીકરણમાં તે સપુષ્પ વનસ્પતિની વ્યાખ્યામાં  આવે છે:  કેરીના અલગ અલગ નામોનો  પણ એક ઈતિહાસ છે

ઉનાળાની ગરમીની સીઝનમાં કેરીનો રસ ને પુરીનું   જમણ કાઠિયાવાડનું પ્રિય છે. કેરી લગભગ ભારતના બધા રાજયોમાં થાય છે.કાચુ ફળ ખાટુને પાકી જાય પછી મધમધતી સુગંદ  સાથે મીઠીને ટેસ્ટી બની જાય છે.  આ ફળને  ચૂસીકે, કાપીને કે તેનો રસ કાઢીને ખાય શકાય છે.  આંબાનો સૌથી વધુ પાક યુ.પી.માં થાય છે.લગભગ સવાલાખ ્રએકરમાં તેનું વાવેતર  જોવા મળેછે.   બિહાર, બંગાળ, ઓરિસ્સા,  મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં   તેનોપાક વધુ થાય છે.  સૌરાષ્ટ્ર કે  આપણા કાઠિયાવાડમાં જૂનાગઢની કેસર કેરીની બોલબાલા છે. પણ ભાવનગર, મોરબી,  જામનગર, જેવા જિલ્લામાં પણ તેનો પાક થાય છે. આપણે તો જૂનાગઢની કેરીની પ્રથમ પસંદગી  હોય છે. મહારાષ્ટ્રની  અલફ્રાન્ઝો અને પાયરી જેવી કેરી  વેપારીની દ્રષ્ટિએ ઉતમ ગણાય છે.કેરી આપણા   દેશનું રાષ્ટ્રીય ફળ છે.વૈજ્ઞાનિક વર્ગીકરણમાં તે સપુષ્પ વનસ્પતિની વ્યાખ્યામાં આવે છે.

આપણા દેશમાં મુખ્યત્વે કેસર, હાફુસ, લંગડો, રાજાપુરી,  તોતાપુરી, દશેરી, પાયરી,  નિલફ્રાન્ઝો,  રત્ના, બદામ, દાડમીયો અને વસીબદામી જેવી કેરીની વિવિધ જાતો  થાય છે. આયુર્વેદ અનુસાર કેરીના રસમાં જો મીઠું અને   સુઢ પાવડર   ઉમેરીને ખવાય તો તે પાચ્ય બની  જાય છે.વધુ પડતી કેરી ખાવાથીતેની ગરમી મોઢા ઉપર ફૂટે છે.  કેરીને ચૂંસીને ખાવાથી   તેખૂબજ ટેસ્ટ લાગે છે. તે બળવર્ધક પણ છે.તેના ગોટલામાંથી ગોટલી કાઢીને તેની ચીરીઓ    કે નાના કટકા કરી તેમાં  મીઠુ અને   લીંબુનો રસ લગાડીને મુખવાસ તરીકે પણ કાઠિયાવાડી લોકો ખાય છે.   આ ગોટલી તુરી  હોય પણ ઉલ્ટી   કે  ડાયેરીયા મટાડે છે. ઘણા તેમાં આંબળાનો ભૂકો   અને કાંટાળા માયુનો ભુકકો  સાથે લવિંગનો ભૂકકો   નાખી દંત મંજન  પણ બનાવે છે.

વિજ્ઞાનની દ્રષ્ટિએ કેરીમાં   કેલરી અને કાર્બોહાઈટ્રેડનું   પ્રમાણ વધુ હોવાથી તે તમારા વજનમાં વધારો કરી શકે છે. જો વજન વધારવું જ હોય તો પાકી કેરીનું સેવન કરવુંત ેમાં લોહતત્વ (આર્યન)નું પ્રમાણ વધુ હોવાથી એનેમિક વ્યકિતએ જરૂરથી   કેરી ખાવી. કેરીમાં વિયામીન ઈનું પ્રમાણ વધારે  હોવાથી હોર્મન સીસ્ટમને સીધી અસર કરે છે. સૌથી અગત્યની વાત બેકેટેરીયલ ઈન્ફેકશન કબજીયાત,  ડાયેરીયા, આંખોની મુશ્કેલી, વાળ ખરવા, હૃદયરોગનો હુમલો, લીવરની સમસ્યા,  મોર્નિંગ સિકનેશ, પાઈલ્સ, અળાઈ વિગેરેમાં તે રાહત આપે છે. આપણો દેશ દુનિયાના કુલ ઉત્પાદનના 40 ટકાથી વધુ ઉત્પાદન કરે છે આપણા પછી ચિન અને પાકિસ્તાનનો  ઉત્પાદનમાં નંબર આવે છે. દુનિયાના ટોપ 10 કેરી ઉત્પાદક કરતા દેશોમાં  ભારત, ચીન, પાકિસ્તાન, મેકિસકો, થાઈલેન્ડ, ઈન્ડોનેશીયા,  બ્રાઝીલ, ફિલિપાઈન્સ, નાઈજેરીયા અને વિયેટનામ જેવા દેશો છે.

પ્રાચિન કાળમાં જૂનાગઢમાં 100જાતની કેરીનું ઉત્પાદન  કરવામા આવતું હતુ તેમાં આંબો નામની એક કેરીની જાત હતી બાદમાં માંગરોળમાં નવી જાતની પાતળી રેશા વિનાની કેરીની જાત વિકસાવી હતી. આકેરી એટલી બધી   મીઠી હોવાથી તેનું નામ ‘આંબડી’ કેરી રાખ્યું હતુ. આજે કચ્છની કેરી પણ બહુજ મીઠી  આવે છે. સમય જતા ગીરનારની આબોહવામાં બદલાવ આવતા કેરીની   લીલાસમાં   વધારો થયો  અને કેરીનો અંદરનો ભાગ કેસરી થવા લાગ્યો અને તેનું નામ ‘કેસર’ પડી ગયું 1932માં અહી કેસર કેરી અંગેનો   વિચાર ગોષ્ઠિનો   કાર્યક્રમ પણ યોજાયો  હતો. 1955માં મુંબઈ ખાતે  કેરીના પ્રદર્શનમાં જૂનાગઢની  કેસર કેરીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આજે પણ કેસર કેરીનો સ્વાદ વિશ્ર્વભરમાં  વખણાય છે.આપણાદેશમાં છ હજારથી વધુ વર્ષોથી આંબાનું વાવેતર થાય છે. દર વર્ષે 1500થી વધુ કેરીઓની જાત ભારતમાં ઉત્પન થાય છે.  એક આંબો  વાવ્યાબાદ પાંચ વર્ષ પછી ફળ આપતો હોય છે.  સામાન્ય રીતે 50 વર્ષ  સુધી આંબો ફળ  આપે છે.પણ  હાફુસ 200 વર્ષસુધી ફળ આપતો રહે છે.કેરી  ભારત સાથે પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે. વિશ્ર્વમાં ત્રીજા નંબરનો ફળાઉપાક  કેરી છે. અને સમગ્ર વિશ્ર્વને કેરીની ભેટ આપણા દેશ ભારતે જ આપી છે.  વિશ્ર્વમાં કેરીઓને વિવિધ વેપારમાં  સામેલ કરવાનો શ્રેય પોટુગીઝને જાય છે.હિન્દુ ધર્મના દરેક  ગ્રંથોમાં કેરીનો  ઉલ્લેખ કર્યો છે. વરાહુપુરાણમાં પણ તેનો ઉલ્લેખ  સાથે બુધ્ધને જ્ઞાન આંબા નીચે    જ થયેલ હતું જૈન દેવી અંબિકાનું   આસન પણ આંબા નીેચે જ હતુ. શુભ પ્રસંગોએ આંબાના તોરણ બંધાતા હતા.

ભારતમાં થતી 1500 જેટલી  જાતો પૈકી એક હજાર જાતો  વ્યવસાયીક રીતા સામેલ છે.  બધી કેરીઓનામ અને સ્વાદ જુદા છે. ભારતમાં દર વર્ષે 20 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે.દેશ અને વિદેશોમાં તેની જોરદાર માંગ રહે છે.  ભારત વિશ્ર્વમાં 40 થી વધુ દેશોમાં કેરીની નિકાસ કરે છે.લંગડો  કેરી લગભગ 300 વર્ષ જૂની છે.ગ્રીષ્મઋતુઓમાં અનેક રોગોને દૂર કરી  સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખનાર ફળ કેરી એક જ છે. કેરીનું લેટીન નામ મેન્જીફેશ ઈન્ડીકા છે.. કેરી ફળોના રાજા સાથે તેનો રસાળરસ, કલ્પવૃક્ષ, મધુદુત અને કોયલનું પ્રિય વૃક્ષ છે.

અમૃતફળ સમી કેરી મીઠી હોય તો તેની લિજજત જલ્વો પાડી દે છે. કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી,  પચવામાં ભારે, ચીકળી, મળભેદક, અગ્નિદીપક, પિત્તનાશક અને કફકારક છે.કેરી વિર્યવર્ધક, બળવર્ધક,  સુખકારક, અને શરીરનો  રંગ બદલનાર ફળ છે.કેરીના અલગઅલગ નામો કેવી રીતે પડયા તેનો પણ એક ઈતિહાસ છે. જેમકે બનારસના શિવમંદિરમાં  લંગડા પુજારીએ  આંબો વાવ્યોને   તેમાં જે કેરી આવી તેને  લોકોએ લંગડા કેરી નામ આપી દીધું હતુ. એક કેરી ખુબજ વજનદાર હોવાથી તેનું નામ  ‘હાથીજુલ’ કેરી પાડયું હતુ. તાલાળાગીરની કેસર કેરીની વિશેષતાને કારણે તે બીજી કેરીથી  અલગ પડે છે. કેરી પૃથ્વીપરનું સૌથી પ્રિય અને  અમૃત ફળ છે. કેસર હોયકે હાફુક ગુજરાતી પરિવારનો કેરી વગર ઉનાળો  અધૂરો ગણાય છે.

 

ભારતમાં છ હજાર વર્ષોથી આંબાનું વાવેતર !!

 

કેરીની 1500થી વધુ જાતો છે અને તેનું વાવેતર   છ હજાર વર્ષ પહેલા શરૂ થયું હતુ. પ્રાચિન કાળમાં એકલા જુનાગઢ જિલ્લામાં 100થી વધુ જાતની  કેરીનું ઉત્પાદન થતું તહુ. કેરીને વેપારમાં સામેલ  કરવાનો શ્રેય  પોર્ટુગીઝ લોકો ફાળે જાય છે.  કેરી ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે. હિન્દુધર્મના દરેક ગ્રંથમાં કેરીનો ઉલ્લેખ  જોવા મળે છે. ભારત વિશ્ર્વના 40 થી વધુ દેશોમાં કેરીની નિકાશ કરે છે. એક  આંબો 50 વર્ષ સુધી ફળ આપે તો હાફુસ 200 વર્ષ સુધી ફળ આપે છે.દુનિયાનાં કુલ ઉત્પાદનના 40 ટકાથી વધુ કેરી ઉત્પાદન ભારત કરે છે. આપણે તેમાં ટોચના સ્થાને છીએ આપણા પછી પાકિસ્તાન અને ચીનનો નંબર આવે છે. કેરી આરોગ્ય રીતે  ઘણી બધી ગુણકારક છે.  પણ તે ખાવાથી  વજન વધી શકે છે. જૂનાગઢમાં કેસર કેરી અંગેની  વિચાર ગોષ્ઠિ 1932માં યોજાય હતી. અને 1955માં મુંબઈ ખાતે  કેરીના પ્રદર્શનમાં જૂનાગઢની કેસર કેરીને ‘ગોલ્ડ મેડલ’ પણ મળ્યો હતો. એક કેરીની જાત બહુંજ  વજનદાર હોવાથી તેનું નામ ‘હાથીજાુલ’ પાડવામાં આવ્યું હતુ. તાલાળા ગીરની કેરી તેની વિશેષતાને   કારણે બીજી કેરીથી અલગ પડે છે. કેરી વિશ્ર્વનો ત્રીજા નંબરો  ફલાઉ પાક છે.

 

કેરીમાં વિટામીન ‘ઈ’નું પ્રમાણ વધારે  હોવાથી હોર્મોન સીસ્ટમને  સીધી અસર કરે

 

આપણાદેશમાં મુખ્યત્વે   કેસર, હાફુસ,  લંગડો, રાજાપુરી,  તોતાપુરી,  દશેરી, પાયરી, રત્ના, બદામ, દાડમીયો,બદામી લાલ બાગ, નિલફ્રાન્ઝો જેવી વિવિધ કેરીની જાતો થાય છે. કેરીમાં વિટામીન ઈનું પ્રમાણ વધારે હોવાથી હોર્મોન સીસ્ટમને   સીધી અસર કરે છે.તેમાં કેસરી અને  કાર્બો હાઈટ્રેડનું પ્રમાણ વધારે  હોવાથી તે તમારૂ જન વધારી  શકે. કેરીમાં લોહતત્વનું પ્રમાણ વધારે હોવાથી તે તમારૂ વજન વધારી શકે. કેરીમાં લોહતત્વનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યકિતએ  જરૂર ખાવી જોઈએ. દુનિયાના ટોપ 10 કેરી ઉત્પાદન કરતા દેશોમાં ભારત,ચીન,  પાકિસ્તાન, મેકિસકો,થાઈલેન્ડ, ઈન્ડોનેશીયા, બ્રાઝીલ, ફિલિપાઈન્સ, નાઈઝેરીયા અ ને વિયેટનામ જેવા દેશો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.