Abtak Media Google News

લૌકીક પ્રસંગેથી પરત ફરતી વેળાએ ગાંધીધામના આંગડિયા પેઢીના સંચાલક અને લોહાણા મહાજનના પ્રમુખ અને તેમના ભાઇ-ભાભીને કાળ ભેટયો

ભચાઉ પાસે નેશનલ હાઇ-વે પર વાગડ વેલ્ફેર હોસ્પિટલના ઓવરબ્રીજ પાસે બંધ ઉભેલા ટ્રેઇલરની પાછળ ક્રેટા કાર ધુસી જતા ગાંધીધામના આંગડીયા પેઢી સંચાલક અને લોહાણા મહાજનના પ્રમુખ તેમજ  તેમના ભાઇ-ભાભીના કમકમાટી ભર્યા મોત નિજપયા હતા. ડીશા ગામેથી લૌકિક પ્રસંગેથી પરત ફરતી વેળાએ એક જ પરિવારના ત્રણ વ્યકિતઓને કાળ ભેટતા ગમગીની છવાઇ રહી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામ ગુરુકુલ પાસે રહેતા અને આંગડીયા પેઢીના સંચાલક અને લોહાણા મહાજનના પ્રમુખ અમશીભાઇ કુવરજીભાઇ ઠકકર (ઉ.વ.૬૦) તેમના મોટા ભાઇ ભુદરભાઇ ઠકકર (ઉ.વ.૬૫) અને પાર્વતીબેન ભુદરભાઇ ઠકકર (ઉ.વ.૬૨)  ત્રણેય પોતાની જીજે ૧ર ડીજી ૯૩૫૩ નંબરની ક્રેટા કારમાં વાગડ પાસે વેલ્ફેર હોસ્પિટલ નજીક રસ્તા પર ઉભેલા જીજે ૧ર બી ડબલ્યુ ૫૮૪૧ નંબરના ટ્રેઇલરમાં પાછળ ધુસી જતા ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય કાર સવારના કમાટી ભર્યા મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ રહ્યો છે.

વધુ જાણવા મળતી વિગત મુજબ અમશીભાઇ ઠકકર અને તેમના ભાઇ-ભાભી ડીશા ખાતે લૌકિક પ્રસંગે ગયા બાદ ત્યારથી પરત ફરતા હતા ત્યારે વાગડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ ત્રણ વ્યકિતઓના કરુણ મોત નિપજયા હતા. પોલીસે ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.