Abtak Media Google News

સેલવાસમાં આગામી તા.૧૬ને શુક્રવારના રોજ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા સાયલી ના તિરંગા મેદાનમાં રખોલી, સાવલી અને બાલદેવી ગામના કાર્યકર્તાઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની જાહેરાત પ્રદેશના પૂર્વ સાંસદ અને આદિવાસી વિકાસ પ્રદેશના પૂર્વ સાંસદ અને આદિવાસી વિકાસ સંગઠનના પ્રમુખ મોહનભાઇ ડેલકર એ આજે આદિવાસી ભવનએ કરી હતી.

ગત મહિને મસાટ ગામના આયોજીત કાર્યકર્તા સંમેલન ને ભવ્ય સફળતા મળી હતી ત્યાર બાદ રખોલી, સાયલી અને બાલદેવીના કાર્યકર્તાઓનું ૧૬-૧૧ ના રોજ સાયલીના તિરંગા મેદાનમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન થાય તેવીઆશા મોહનભાઇ ડેલકર સમક્ષ વ્યકત કરી હતી.

કાર્યકર્તાઓની આશા અને માંગને ઘ્યાનમાં લઇ મોહનભાઇ ડેલકર એ આદિવાસી ભવનમાં બેઠક ફોજી હતી જેમાં સાવલી, રખોલી, અને બાલદેવી ગામના બહોળી સંખ્યામાં મુખ્ય કાર્યકર્તાઓ તથા આ વિસ્તારના સરપંચો, જીલ્લા પંચાયત સદસ્યો ગ્રામ પંચાયતના સદસ્યો નગરપાલિકાના કાઉસિલરો ઉ૫સ્થિત રહ્યા હતા. બેઠકમાં સંમેલનની ચર્ચા વિચારણા કર્યા પછી સંમેલન ને સફળ બનાવવા માટે હાજર તમામ કાર્યકર્તાઓએ જવાબદારી ઉઠાવી છે.

કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઇને મોહનભાઇ ડેલકરે ખુશી વ્યકત કરી અને હવેથી કાર્યકતા સંમેલન પ્રદેશના વિવિધ સ્થળોએ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી સાવલીના તિરંગા મેદાનમાં આયોજીત થનારા સંમેલનમાં મોહનભાઇ ડેલકર સંબોધન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.