Abtak Media Google News

મશહુર અભિનેત્રીનું ચોટીલામાં આગમનની જાણ થતા તેમના ચાહકો ઉમટયા

હિન્દી , ગુજરાતી તથા સાઉથ સહિત ની અનેક ભાષાઓ ની ફિલ્મો માં અભિનય કરી પોતાના સૌંદર્ય અને અભિનય થી લાખો ચાહકો નો પ્રેમ જીતનાર અને  અભિનેત્રી તથા સુપર મોડલ ઉર્વશી સોલંકી એ ચોટીલા ના પ્રસિધ્ધ ચામુંડા માતાજી ના દર્શન નો લહાવો લેવા ખાસ મુંબઇ થી આવ્યાં હતાં.

અભિનેત્રી ના આગમન ની જાણ થતાં માતાજી ના દર્શને આવેલા અન્ય ભાવિકો તેમની સાથે ફોટા પડાવવા તથા તેમના ઓટોગ્રાફ લેવા પડાપડી કરી ઘેરી વળ્યાં હતાં.ત્યારે ઉર્વશી સોલંકી એ પણ તેમના ચાહકો સાથે ફોટા પડાવી તેમના ચાહકો ને ખુશ કરી દીધાં હતાં.

પત્રકારોને એક મુલાકાત દરમ્યાન તેઓ એ જણાંવ્યું હતું કે તેઓ ને ચોટીલા ના ચામુંડા માતાજી માં ખુબ જ શ્રધ્ધા છે.જ્યારે કાઠીયાવાડી ભોજન નો સ્વાદ માણ્યો છે તે સવાલ ના જવાબ માં ઉર્વશી સોલંકી એ જણાંવ્યું હતું કે પોતાને કાઠીયાવાડી ભોજન ખુબ જ પસંદ છે.અને જ્યારે પણ કામ માટે સૌરાષ્ટ્ર ની મુલાકાત લેવાનુ થાય ત્યારે તેઓ અચુક કાઠીયાવાડી ભોજન નો સ્વાદ માણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.