Abtak Media Google News
  • છૂટાછેડાનો ખાર રાખી મહિલાના પિયર જઈ પૂર્વ પતિએ પત્નીને બહાનેથી બહાર બોલાવી છરીના ઘા ઝીંક્યા

સુરેન્દ્રનગરના રામનગરની પરણીતાના બે દિવસ પૂર્વે છુટાછેડા થયા બાદ તેણી જ્યારે વઢવાણ તાલુકાના રતનપર ગામે પિતાના ઘરે રહેતી હતી ત્યારે પતિએ ઘરે આવી છરીના ઘા ઝીંક્યા તેણીને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવી અને પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપર ગામે રહેતા સગુણાબેન અરજણભાઈ મરતોલીયા નામના 30 વર્ષીય મહિલાને સુરેન્દ્રનગર તાલુકાના રામનગર સોસાયટીમાં રહેતા તેના પૂર્વ પતિ હરેશ ચિનુભાઈ વીજુડાએ ગત રાત્રીના તેણી પોતાના પિતાના ઘરે હતી ત્યારે છરીના ઘા ઝીંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જોરાવર નગર પોલીસ સ્ટેશનને જાણ કરી. પોલીસે સિવિલ હોસ્પિટલ આવી જરૂરી કાગળો કર્યા અને પોલીસ તપાસ હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના પિતા અરજણભાઈએ પોલીસને જણાવ્યા અનુસાર, સગુણાબેનએ દસ વર્ષ પૂર્વે હરેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.લગ્ન થયા બાદ બંનેને અવરનવાર ઝઘડાઓ થતાં અને એકબીજાના ચારિત્ર્ય ઉપર શંકાઓ કરતા જેથી તા. 30/04/2024 ના રોજ બંનેએ છુટાછેડા આપ્યા હોય અને જેથી જ ઉશ્કેરાયેલા પતિએ ગત રાત્રી અઢી વાગ્યે પૂર્વ પત્નીના પિતાના ઘરે આવી પાણી પીવાના બહાને સગુણાને ઘરની બહાર આવવાનું કહી છરીના ઘા ઝીંક્યા અને હુમલો કરી ત્યાંથી નાશી છૂટ્યો.તેઓને સંતાનમાં એક પુત્રી છે,જે હાલ તેની માતા સગુણા સાથે રહે છે. સગુણાબેનના આ બીજા લગ્ન હતાં.પોલીસે હાલ હુમલો કરી નાસી છૂટેલા પૂર્વ પતિની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.