Abtak Media Google News

એસટીની નોનએસી બસમાં તિર્થયાત્રાનો ૫૦ ટકા ખર્ચ સરકાર ભોગવશે

વડિલો રાહત દરે તિર્થયાત્રા કરી શકે તે માટે રાજય સરકાર આગામી તા.૧ મેના રોજ ગુજરાત દિને શ્રવણ તિર્થદર્શન યોજના લોન્ચ કરશે. આ યોજન હેઠળ સરકાર નોન એ.સી. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસમાં તિર્થ યાત્રાનો ૫૦ ટકા ખર્ચ ભોગવશે.

આ મામલે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ તમામ સમાજના સીનીયર સીટીઝન લઇ શકશે. રાજયમાં તિર્થયાત્રા કરવા માંગતા વડિલો માટે સરકારે બજેટમાં સબસીડીની જાહેરાત કરવામાં આવી હતી.

આ યોજાનો લાભ બે રાત અને ત્રણ દિવસની યાત્રાના આયોજન માટે મળશે લાભાર્થીએ યોજનાનો લાભ લેવા નજીકના એસ.ટી. ડેપોને સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.