Abtak Media Google News

સેના પ્રમુખ બિપિન રાવતે કાશ્મીરમાં અશાંતિ ફેલાવનારા જૂથોને ચેતવણી આપી છે. તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે કાશ્મીરની આઝાદી માટે હથિયાર ઉઠાવનારા યુવાનો જાણી લે કે તેમની આ ઇચ્છા ક્યારેય પૂરી નહીં થાય. તેમણે કહ્યું કે તમે અમારી સાથે લડશો તો અમે તમારી સાથે લડીશું.

સેનાપ્રમુખે કહ્યું, કાશ્મીરી યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે આ રસ્તા પર ચાલવાથી આઝાદી મળશે.રાવતે કહ્યું, “હું કાશ્મીરી યુવાનોને જણાવી દેવા માંગું છું કે કાશ્મીરની આઝાદી અસંભવ છે. તે ક્યારેય નથી થવાનું.”

રાવતે કહ્યું, “હું સેના સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને મહત્વ નથી આપતો. તે તો ચાલતું રહેશે. નવી ભરતીઓ થતી રહેશે. આ બધું મહત્વનું નથી. તેનાથી (આતંકીઓને) કંઇપણ હાંસલ નથી થવાનું. તમે સેનાનો મુકાબલો નહીં કરી શકો.”

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.