Abtak Media Google News

સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ જનાર્દનભાઈ આચાર્યનું ટ્રસ્ટી દ્વારા ઋણ સ્વીકાર સન્માન: ૭૦૦થી વધુ આજીવન સભ્યો રહ્યા ઉપસ્થિત

તાજેતરમાં હડીયાણા ચોવીસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા જૂની ખડપીઠ દિવાનપરા બ્રહ્મપુરી ખાતે બ્રહ્મસમાજનું સ્નેહમિલન અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ અને જ્ઞાતિરત્નો તથા વિવિધ તળગોળના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતુ.

Advertisement

આ તકે પ્રમુખ તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે સ્નેહમિલન સમારંભમાં ૭૦૦થી વધુ જ્ઞાતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સુંદરકાંડનું પણ આયોજન કરાયું હતુ જેમાં મુખ્ય મહેમાન અભયભાઈ ભારદ્વાજ, નીતીનભાઈ ભારદ્વાજ, પ્રદિપભાઈ ત્રિવેદી બ્રહ્મ અગ્રણી ખાસ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.

વધુમાં મહામંત્રી નિશાંત રાવલએ જણાવ્યું હતુ કે આ વર્ષે સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ અને સૌ તળગોડને સાથે રાખી ચાલનારા જર્નાદનભાઈ આચાર્યનું બ્રહ્મપુરીના ટ્રસ્ટી અનિલભાઈ ત્રિવેદી તથા હિમાંશુભાઈ શુકલ દ્વારા સાલ ઓઢાડી ઋણ સ્વીકાર સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ હળવદ બ્રાહ્મણ બોર્ડીંગના નવનિયુકત પ્રમુખ જયેશભાઈ જાનીનું ટ્રસ્ટી સ્મિતલભાઈ ત્રિવેદી તથા ટ્રસ્ટી ભગીરથભાઈ શુકલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે મોરબી વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ પ્રભુભાઈ ત્રિવેદી અને શ્રીગોળ સોરઠીયા બ્રહ્મસમાજના પ્રમુખ શિરિષભાઈ ભટ્ટનું તેમજ બ્રહ્મપુરીના પાયાના પથ્થર અને જીવન કોમર્શિયલ બેંકના ડાયરેકટર કશ્યપભાઈ રાવલનું તથા ઔદિચ્ય ઝાલાવડી સતર તાલુકા બ્રહ્મસમાજના જે.પી. ત્રિવેદીનું વિશેષ સન્માન પ્રમુખ તેજસ ત્રિવેદી દ્વારા કરાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.