Abtak Media Google News

મધ્યપ્રદેશની સાથે ઉત્તરપ્રદેશ માટે પણ મંગળવાર અમંગલ રહ્યો છે. અયોધ્યામાં હાઈવે પર માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 2 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. દુર્ઘટના તે સમયે થઇ જ્યારે ગઇં-27ના રૌજા ગામ નજીક ઓવરબ્રિજ પર દુર્ઘટનાગ્રસ્ત ઉભેલી 2 રોડવેઝ બસોમાંથી એક બસને પાછળથી ટ્રેલરે ટક્કર મારી. માહિતી અનુસાર બન્ને બસ કાનપુરથી બસ્તીમાં જઇ રહી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 2 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા, જ્યારે ચાર અન્ય લોકોના જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.