Abtak Media Google News

બાબરામાં ભૂગર્ભ ગટરની યોજના હજુ પૂર્ણ નથી થઈ ત્યાં તો બાબરાના સ્થાનિક કોન્ટ્રાક્ટરે ભગવતી ધામ સોસાયટીની બહાર ની બાજુ એ સુએઝ પ્લાન્ટની જગ્યા એ વીજ કેબલ દોડાવવામાં આવ્યો અને બાજુમાં ભગવતી સોસાયટી ગટર લાઈન અને પાણીની લાઈન સાથે ઈલેક્ટ્રીક લાઈન બાબરાના અધિકારીઓ દોડાવે છે અને બાબરાના પીજીવીસીએલ ના અધિકારીઓ એમનું મનમાન્યું કરે છે.

આ લોકોને કોઈ ઉચ્ચ અધિકારી છે એવું લાગતું નથી અને બાબરા PGVCLએ નગરપાલિકા મંજૂરી લીધા વગર પાણી અને ઈલેક્ટ્રીક નું સંગમ કરાવે છે . બાબરા PGVCL અધિકારીઓ બાબરા ના યુવા પત્રકાર અપ્પુ ભાઈ જોશી દ્વારા સ્થાનિક રહીશોની મુંજવણ અને પ્રશ્નો રૂપે સ્થળની રૂબરૂ મુલાકાત લેતા ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી છે. GEBમાં જીવંત તાર સુએઝ માટે ફાળવેલી જગ્યાએથી પસાર કરવામાં આવી રહ્યા છે જે બદલ બાબરાના સ્થાનિક કોન્ટ્રાકટર જીતુ સાવલિયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે મને કાઇ ખબર નથી.

શું તેનો મતલબ તેમ છુપાવવાનો કે મોટા અધિકારી થી પોતે ડરી ગયો હોઈ એવું માલૂમ પડતું આ સાથે આ કાર્ય માટે કોઈ પણ પ્રકાર ની જરૂરી મંજૂરી પણ લીધેલ નથી એવું પણ જાણવા મળ્યું છે. વધુમાં જી ડબલ્યુ એસ એસ ભાવનગર ના ચોધરી સાહેબ, કાર્યપાલ ઇજનેર અમરેલી સિંઘલ સાહેબ, ઇજનેર પરમાર,ને પણ આ મામલે ટેલિફોનીક જાણ કરવામાં આવી છે.સ્થાનિક કોન્ટ્રાકટર અને PGVCL ઇજનેર સાથે વાત કરતા માલુમ પડ્યું કે આ બંને કોઈ સચોટ જવાબ આપ્યા નથી ,પોતાની ભૂલ કબૂલવાને બદલે એક બીજા પર દોષારોપણ કરતા જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.