Abtak Media Google News

મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જાહેરનામું પ્રસિઘ્ધ કર્યું

આગામી સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રાવણના પાંચ સોમવાર, જન્માષ્ટમી પર્વ અને પર્યુષણ પર્વમાં માસ, મટન અને મચ્છીના વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસમાં આવતા પાંચ સોમવાર અંતર્ગત ૨૪મી જુલાઈ, ૩૧મી જુલાઈ, ૭મી ઓગસ્ટ, ૧૪મી ઓગસ્ટ અને ૨૧ ઓગસ્ટના રોજ જયારે જન્માષ્ટમી પર્વ નિમિતે ૧૫મી ઓગસ્ટ તથા જૈન સમાજના અતિપવિત્ર એવા પર્યુષણ પર્વ નિમિતે ૧૮ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ સુધી સળંગ પાંચ દિવસ મહાપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ કતલખાના બંધ રાખવા તેમજ માસ, મટન કે મચ્છીના વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવા માટે મહાપાલિકાના સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ કરનાર સામે બીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.