Abtak Media Google News

રાજયમાં અનેક દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે. આપણે ઘણી વખત લોકોને કહેતા સાંભળ્યું હશે કે છોકરીઓ સુરક્ષિત નથી ત્યારે તમારું પણ કાળજું કંપાવી દેશે તેવી ઘટના સામે આવી છે જેમાં દફન કરેલી દોઢ વર્ષની બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરેન્દ્રનગર જીલ્લાના થાનની છે જ્યાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં દફન કરેલી દોઢ વર્ષની બાળકીના મૃતદેહ સાથે દુષ્કૃત્ય કરવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કરનારાઓ ઉંમર જોતા નથી ૭ માસની બાળકીથી લઈને વૃદ્ધા પર પણ દુષ્કર્મ આચરવામાં આવે છે ત્યારે આ દુષ્ટ પાપીઓએ મૃત્યુ પામેલી માસુમને છોડી નહિ અને મૃતદેહ સાથે દુષ્કર્મ  આચર્યું હતું.

આ માસુમને જન્મથી જ હૃદયમાં કાણું કાણું હતું. જેની સારવારમાં જ ૨૫ ફેબ્રુઆરીના દિવસે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારે આ માસુમના મૃતદેહની દફનવિધિ કરી હતી. ત્યારે બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવતા પરિવારજનો અજુકતું લાગતા પોલીસ અને સરકારી દવાખાનાને જાણ કરી હતી. પરિવારજનોએ મૃત બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તબીબોની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ દુષ્કર્મનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.  મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે. હાર્ટની તકલીફના કારણે બાળકીનું મોત થતા બાળકીને દફન કરવામાં આવી હતી. ધાર્મિક વિધિ માટે પરિજનો જતાં મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવતા મામલો સામે આવ્યો છે ત્યારે દુષ્કૃત્ય આચરનારા રાક્ષસોને પકડવા પરિવારે માંગ કરી છે.

આ હેવાનિયત ભરેલા કૃત્ય અંગે તપાસ કરવા રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ સાથે ચર્ચા બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોટમ માટે રાજકોટ મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટ બાદ આખરી કાર્યવાહી કરવાના નિર્દેશ સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ વડા હિમાંશુ દોષીએ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.