રાજકોટ માકેટીંગ યાર્ડના વેપારીઓના માર્ચ એન્ડીંગ સમયે લાયસન્સ રિન્યુ કરવામાં આવતા હોય છે. ત્યારે નાણાકિય વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રીન્યુ નહિ થતા વેપારીઓનો હોબાળો મચ્યો છે. માર્ચના અંતિમ દિવસે લાયસન્સ રીન્યુ મુદ્દે આજે તત્કાલ બોર્ડ બેઠક મળી છે.રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓના નાણાકિય વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી.જે મુદે વિવાદ વકયો છે. કૃષિ કાયદો લાગુ પડયા બાદ હવે કઇ રીતે લાયસન્સ રીન્યુ કરવા તે મુદ્દે આજે તત્કાલ માર્કેટ યાર્ડમાં બોર્ડ મીટીંગ બોલાવવામાં આવી છે. હવે લાયસન્સ રિન્યુ અંગેનો નિર્ણય આ મીટીંગમાં લેવાશે. તરસ લાગે ત્યારે કુવો ખોદે તે કહેવત મુજબ છેલલી ઘડી સુધી વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રિન્યુ મુદ્દે કોઇ નિરાકરણ સત્તાધીશો દ્વારા નહિ લાવવામાં આવતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે જે અંગેનો તાત્કાલીક નિર્ણય લેવા આજે 11 વાગ્યે બોર્ડ બેઠક મળી હતી આ લખાય છે ત્યારે બોર્ડ બેઠક ચાલુ હોય મીટીગ પુર્ણ થયા બાદ લાયસન્સ રિન્યુ મુદ્દે યોગ્ય નિરાકરણ આવશે તેવું જણાઇ રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!