Abtak Media Google News

જામજોધપુરના બુટાવદરમાં સાવકા પિતાના દુષ્કર્મમાં ભોગ બનેલી બારેક વર્ષની એક તરૃણી ગર્ભવતી બન્યા પછી તેણીએ મધર્સ-ડેના દિવસે જ સંતાનને જન્મ આપ્યો છે જેને વિકાસગૃહ સ્થિત શિશુગૃહમાં મોકલી આપવામાં આવ્યું છે.

જામજોધપુરના બુટાવદર ગામમાં ગયા વર્ષે એક તરૃણીને તેણીના સાવકા બાપે દુષ્કર્મનો ભોગ બનાવી હતી જેના કારણે આ તરૃણી ગર્ભવતી બની ગઈ હતી. આ તરૃણીએ રવિવારે બાળકને જન્મ આપતા ચકચાર પ્રસરી છે. હાલમાં નવજાત શિશુને વિકાસગૃહમાં મોકલવામાં આવ્યું છે.

આ બનાવની વધુ વિગત મુજબ બુટાવદરના એક શખ્સે પોતાની પ્રથમ પત્નીના નિધન પછી ચાર સંતાનની માતા એવી બીજી મહિલા સાથે લગ્ન કર્યા હતા. ચાર સંતાન સાથે રહેવા આવેલી તે મહિલાની બાર વર્ષની પુત્રી પર સાવકા બાપે નજર બગાડી ગયા વર્ષે તેણીને દુષ્કર્મનો ભોગ બનાવતા પોલીસમાં જે તે વખતે ફરિયાદ થવા પામી હતી. પિતાના દુષ્કર્મથી આ તરૃણી ગર્ભવતી બન્યા પછી પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. જ્યારે આ તરૃણીને સારવારમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાતા તેણીનો ગર્ભપાત શક્ય ન હોવાનો અભિપ્રાય તબીબોએ આપ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.