Abtak Media Google News

BSP ના અધ્યક્ષ માયાવતી વડોદરાની મુલાકાતને લઇને કલાભવન મેદાન ખાતે જાહેર સભાનું આયોજન કરાયુ છે. માયાવતી સાંભળવા મોટા શહેરોમાંથી જનમેદની ઉમટી હતી. અહી આગામી ચૂંટણીના ભાગ રૂપે માયાવતીની જાહેર સભા યોજાશે. જેમા BSP તમામ સીટો પરથી ઉમેદવારો ઉભા રાખે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે, આજે વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિના સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું હતું. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો આજે બહુજન સમાજ પાર્ટીના માયાવતી પણ વડોદરા આવ્યા છે. ત્યારે શહેરમાં રાજકીય માહોલ ગરમાય તો નવાઈ નહીં. માયાવતી નવલખી ખાતે સભાને સંબોધવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.