Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડના પિતાશ્રી તથા આહીર સમાજના અગ્રણી, જૂની પેઢીના સામાજીક આગેવાન પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ કાનગડનું તાજેતરમાં દુ:ખદ અવસાન થયેલ છે. કાનગડ પરિવાર પર આવી પડેલ આ દુ:ખના સમયમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા મોરચાના અગ્રણી જોશનાબેન હળવદીયા તથા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાએ રૂબરૂ તેમના નિવાસ સ્થાને જઈ સંવેદના પ્રગટ કરી હતી. અને તમામ કુટુંબીજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરેલ હતી. આ સમયે કાનગડ પરિવારના વડીલ કાનાભાઈ, નાનુભાઈ, તથા અન્ય કુટુંબીજનો યોગીભાઈ, કાળુભાઈ, સુરેશભાઈ, નવીનભાઈ, ગૌતમભાઈ, ભનુભાઈ, જયપ્રકાશભાઈ, ભરતભાઈ, તેમજ વોર્ડના આગેવાનો નિલેશભાઇ જલુ, કિરીટભાઈ વજીર, વિક્રમભાઈ ખીમાણીયા, ભાવેશભાઈ પટેલ, અર્જુનભાઈ, નરેદ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, રાજુભાઈ ટાંક, મુકેશભાઈ મહેતા, હરીભાઈ રાતડીયા, મનુભાઈ જોબનપુત્રા, સુભાષભાઈ રાયચુરા, વિનુભાઈ કુવાડીયા, પવન સુતરીયા, રાજુભાઈ ફીચડીયા, શૈલેષભાઈ હાપલીયા, ભાવેશભાઈ ડાંગર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

સ્વ. પ્રભાતભાઈ કાનગડને શ્રદ્ધાંજલી અર્પવા રાત્રે સંતવાણી

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ અને યોગીભાઈ કાનગડના પિતા સ્વ. પ્રભાતભાઈ કાનગડને સ્મરણાંજલિ અર્પણ કરવા આજે રાત્રે ૦૯:૦૦ કલાકે લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તથા નારાયણભાઈ ઠકર્ણા ભજન અને કિર્તનનો કાર્યક્રમ તેમના નિવાસ સ્થાન હાથી ખાના મેઈન રોડ,રામ મઢી ચોકમાં રાખવામા આવેલ છે. સંતવાણીના આ કાર્યક્રમ અંતર્ગત સદગતને શ્રદ્ધાંજલી અર્પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.