Abtak Media Google News

દેશભરના ૨૨ રાજ્યોના બાળ યુવા છાત્રો પોતાના પ્રયોગો નવીનતમ સંશોધન રજૂ કરશે

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં ૪૫ માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત  અને પર્યાવરણ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું

તેમણે દેશભરના ૨૨ રાજ્યો ના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષયના અભ્યાસુઓ માટે આ અવસર ને કુંભ મેળા સમાન ગણાવ્યો હતો વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે, ૨૦૩૦ સુધીમાં ભારત વિજ્ઞાન  અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વ ના ટોપ ૩ દેશોમાં સ્થાન મેળવે તેવી પ્રધાનમંત્રી ની પ્રતિબદ્ધતામાં આવા પ્રદર્શન અને નવીનતમ શોધ સંશોધન મહત્વપૂર્ણ બનશે.

આજની યુવા પેઢી ટેક્નોસેવી છે. ઈનોવેટિવ છે તેમજ આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરીને  વિજ્ઞાન ગણિત જેવા ગહન વિષયો અને પર્યાવરણ સુરક્ષા સંવર્ધન પ્રત્યે પણ જાગૃત છે  તે જ ભારત ને વિશ્વ ગુરુ બનાવશે. મુખ્યમંત્રીએ પ્રાચીન ભારતે આર્યભટ્ટ, વરાહ મિહિર, શુશ્રુત જેવી વિદ્વાન વિભૂતિઓ અને શૂન્ય જેવી શોધ  વિશ્વ ને આપી તેનો ઉલ્લેખ કરતાં અર્વાચીન ભારતે પણ જગદીશચન્દ્ર બોઝ. નિવાસ, રામાનુજ, ચંદ્રશેખર જેવા મહાન વૈજ્ઞાનિકો આપ્યા છે તેમ ઉમેર્યું હતું

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના બાળકો યુવાનોમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અને ઈનોવેશન માટે રસ જગાવવા સાયન્સ સિટીની પહેલ રૂપ શરૂઆત કરી હતી તે આજે દેશ માં અગ્રેસર બન્યું છે એમ  વિજયભાઈ રૂપાણી એ કહ્યું હતું

શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી મતી વિભાવરી બહેન દવે તેમજ અમદાવાદ ના મેયર મતી બીજલ પટેલ. સાંસદ તેમજ ધારાસભ્યો અને એન. સી. ઈ. આર. ટી. તથા જી. સી. ઈ. આર. ટી.ના વરિષ્ઠ અધિકારીઓ, શાળા – કોલેજના છાત્રો, અધ્યાપકો, શિક્ષકો આ વેળાએ ઉપસ્થિત હતા

મુખ્યમંત્રી અને મહાનુભાવોએ આજે પ્રખર વૈજ્ઞાનિક જગદીશ ચન્દ્ર બોઝ ની પુણ્યતિથિ એ અંજલિ અર્પણ કરી વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુક્યું હતું અને વિવિધ કૃતિઓ રસ પૂર્વક નિહાળી વિદ્યાર્થીઓ પાસેથી રસપ્રદ  માહિતી પણ મેળવી  હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.