Abtak Media Google News

ભુપેન્દ્ર પટેલના આજના કાર્યક્રમો રદ,  સેક્ટર 30 સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ

મુખ્યમંત્રીના સાસુનું આજરોજ અવસાન થયું છે. જેને પગલે મુખ્યમંત્રીએ પોતાના આજના તમામ કાર્યક્રમ રદ કરી દીધા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સાસુ માતા શાંતાબેન નારણભાઈ પટેલ ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીના નિવાસ્થાને સાથે રહેતા હતા. શાંતાબેનનું આજરોજ નિધન થયું છે. તેઓના નિધનના સમાચાર મળતા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં આગેવાનો ઉમટ્યા હતા.

સાસુના નિધન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના આજના કાર્યક્રમ રદ કર્યા છે. શાંતાબેનની પરિવારજનોની હાજરીમાં શાસ્ત્રોક વિધિથી સેક્ટર 30 સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવનાર છે તેમ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.