Abtak Media Google News

માંગરોળથી 120 કિમી દૂર અરબી સમુદ્રમાં એન્જીનની નિષ્ફળતાને કારણે બની હતી ઘટના

ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે ફસાયેલી બોટનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. રોશના નામની ફિશિંગ બોટમાં ફસાયેલા માછીમારોને રેસક્યું ઓપરેશન હાથ ધરી બચાવવામાં આવ્યા છે. બોટમાં 9 માછીમારો ફસાયા હતા. જે તમામને બચાવી લેવાયા છે.

ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયામાં ફસાયેલી માછીમારી કરવા ગયેલી બોટને બચાવી લીધી છે. આ બોટમાં 9 લોકો હતા. માછીમારો ભરેલી આ બોટ અરબી સમુદ્રમાં એન્જિનની ખામીને કારણે બંધ થઈ હોવાનું સામે આવ્યું હતું. 27 મે 2023ના રોજ મેરીટાઈમ રેસ્ક્યુ સબ સેન્ટર, પોરબંદરને મેરીટાઈમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર મુંબઈ દ્વારા ફસાયેલી ભારતીય માછીમારી બોટ રોસના અંગે જાણ કરવામાં આવી હતી. માંગરોળથી 120 કિમી દૂર અરબી સમુદ્રમાં માછીમારો ફસાયા હતા. 9 ક્રૂ ઓનબોર્ડ પર એન્જિનની નિષ્ફળતાને કારણે આ બનાવ બન્યો હતો.

ભારતીય કોસ્ટ ગાર્ડ આઈસીજીએસ શૂર જહાજ, જે ઓપરેશનલ પેટ્રોલિંગ પર હતું, બોટને જરૂરી સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક રવાના કરવામાં આવ્યું હતું. બોટના એન્જિનમાં જે ખામી સર્જાઈ હતી તે દરિયામાં સુધારી શકાઇ તેમ ન હતી. તેથી ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ શૂર દરિયામાં રહેલી બોટને ખેંચીને લઇ ગઇ હતી. બોટને વેરાવળ હાર્બર તરફ ખેંચવામાં આવી હતી અને વધુ સમારકામ માટે સોંપવામાં આવી હતી.

ભારતીય તટ રક્ષક દળની કામગીરી:પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 27 મે 2023ના રોજ પોણા બે કલાકે, મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર, પોરબંદરને મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર મુંબઈ દ્વારા ફસાયેલી ભારતીય માછીમારી બોટ ’રોસના’ અંગે ભારતીય તટ રક્ષક દળને જાણ કરવામાં આવી હતી. ભારતીય તટ રક્ષક દળને મળેલ માહિતી મુજબ આ રોશના નામની બોટ માંગરોળથી લગભગ 120 કિલોમીટર દૂર હતી અને આ રોશના બોટમાં કુલ 9 માછીમારો હતા. આ બોટમાં એન્જિનની ખામી સર્જાય હતી. આ વિકટ પરિસ્થિતિ માં ભારતીય તટ રક્ષક દળ દ્વારા તાત્કાલિક મદદની કામગીરી શરૂ કરાઇ હતી.

મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર મુંબઈ દ્વારા પોરબંદર મેરિટાઇમ રેસ્ક્યુ સેન્ટરને બચાવ માટે કોલ આવ્યો ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ ઓપરેશનલ પેટ્રોલિંગ પર હતું. બોટને જરૂરી સહાય પૂરી પાડવા માટે તરત જ કોસ્ટ ગાર્ડના જવાનોએ સુર શિપને બોટ તરફ વાળવામાં આવ્યું હતું. રોશના બોટમાં ઇંધણના પાણીના દૂષિતતાને કારણે જે બોટના એન્જિનમાં ખામી સર્જાઇ હતી તે દરિયામાં સુધારી શકાઇ ન હતી અને તેથી ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ શૂર મુશ્કેલ હવામાન અને તોફાની દરિયામાં રોશના નામની બોટને ખેંચીને લઇ ગઇ હતી. બોટને વેરાવળ હાર્બર તરફ ખેંચવામાં આવી હતી અને વધુ સમારકામ માટે સોંપવામાં આવી હતી. 9 જેટલા માછીમારોને સહીસલામત પહોંચાડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.