Abtak Media Google News

કોકોનટ કે નારિયેળ એ વજન ઉતારવા માંગતા લોકોનું ફેવરિટ ફૂડ નથી. તેમાં ફેટ હોવાના કારણે વજન ઉતારવા માટે કોકોનટ સારો આહાર માનવામાં નથી આવતો. પરંતુ તાજેતરમાં એક સંશોધનમાં પ્રકાશિત થયું છે કે નારિયેળ પાણી, કોકોનટ ફ્લેક્સ, કોકોનટ કૂકીઝ, કોકોનટ આઈસ્ક્રીમ સુધ્ધાં તમારી વજન ઉતારવામાં મદદ કરી શકે છે.

કોકોનટમાં જે સેચ્યુરેટેડ ફેટ કે ચરબી રહેલી હોય છે તે અન્ય ચરબી કરતા અલગ પ્રકારની હોય છે. તેનો ભાગ્યે જ શરીરમાં સંગ્રહ થાય છે. ઉલ્ટું, તે કાર્બોહાઈડ્રેટ્સની જેમ જ શરીરને એનર્જી પૂરી પાડે છે. તેનો ફાયદો એ છે કે તે કાર્બ્સ જેવી એનર્જી તો પૂરી પાડે છે પરંતુ તેના કારણે બ્લડ શુગર લેવલ વધતું નથી. ઓબેસિટી અને મેટાબોલિક ડિસઓર્ડર વિષેની એક આંતરરાષ્ટ્રીય જર્નલનો દાવ છે કે કોકોનટમાંથી મળતા તત્વોને કારણે શરીરમાં ઓછી ચરબીનો સંગ્રહ થશે.

દૈનિક ઇન્ટેકમાં પણ કોકોનટ અનાજ, ચોખા જેવા પદાર્થોમાંથી મળતા કાર્બોહાઈડ્રેટનો સારો વિકલ્પ બની શકે છે. ૧૦૦ ગ્રામ કોપરામાંથી માંડ ૧૫ ગ્રામ જેટલી કાર્બોહાઈડ્રેટ મળે છે. આથી જો તમે તમારા ભોજનમાંથી કાર્બોહાઈડ્રેટ ઓછું કરવા માંગતા હોય તો તમે કોકોનટને તમારા દૈનિક ભોજનમાં સ્થાન આપી શકો છો.જો કે દૈનિક નિશ્ચિત માત્રા કરતા વધુ પ્રમાણમાં કોકોનટ લેવું એવોઈડ કરવું જોઈએ. કારણ કે તે ફેટ ઓછી કરવામાં મદદ કરે છે પરંતુ તેમાં કેલેરીઝ વધુ માત્રામાં હોય છે. ૧૦૦ ગ્રામ કોકોનટમાં ૩૫૪ કેલેરી હોય છે. આથી તમારે કોકોનટ લેવાની માત્રા ઓછી કરી દેવી જોઈએ. નિષ્ણાંત ડાયેટિશિયન્સના મતે દિવસમાં તમે જેટલી કેલેરીઝ લેતા હોવ તેના ૧૦મા ભાગની કેલેરી કોકોનટમાંથી લેવી જોઈએ. અર્થાત્ તમે દૈનિક ૧૫૦૦ કેલેરી ક્ધઝ્યુમ કરતા હોવ તો ૧૫૦ ગ્રામ કેલેરી કોકોનટમાંથી મેળવવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.