Abtak Media Google News

આજે સવારે તેમના વતન મોડાસામાં થયું અવસાન: લાંબા સમયથી બીમાર હતા

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને નિગ્ગજનેતા ઈરશાદ મિરઝાનું આજે બુધવારે સવારે તેમના વતન મોડાસામાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.તેઓ હંમેશા બિનવિવાદાસ્પદ વ્યકિત અને નેતા રહ્યા તેઓનું પ્રામાણીકપણુ દરેકને સ્પર્શી જતુ હતુ તેઓ સતત સક્રિય અને પક્ષને વફાદાર રહ્યા હતા ૨૪ વર્ષ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રહ્યા ૨ ટર્મ રાજયસભાના સભ્ય રહ્યા છેલ્લા ૧૫ વર્ષથી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં સેક્રેટરી પદે હતા. કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની ટીમમાં અગ્રેસર હતા.કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટે મિરઝાના નિધન પર શોક વ્યકત કરી કહ્યો હતોકે તેમણે નિષ્ઠાપૂર્વક પક્ષની સેવા કરી હતી પક્ષને એક દિગ્ગજ નેતાની ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.