રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.૧૩મીથી દિવાળીની રજાઓ પડનાર છે ત્યારે રજા આડે હવે એક દિવસ બાકી રહ્યો હોય ત્યારે આવતીકાલે એક માત્ર કપાસની આવક યાર્ડમાં આવવા દેવામાં આવશે. એ સિવાયની એક પણ જણસી હવે યાર્ડમાં વેચાણ અર્થે લાવી શકાશે નહીં.રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રજા અગાઉ તમામ ખરીદ વેચાણ હરરાજીનું કામ આટોપી લેવાનું હોય ત્યારે હવે રજા પૂર્વે એટલે કે આવતીકાલે એક માત્ર કપાસની આવક આવવા દેવામાં આવશે. આ સિવાયની અનય જણસી ઘંઉ, ચણા, બાજરો ઉપરાંત અનાજ, કઠોળ વેચાણ અર્થે ખેડુતો લાવી શકશે નહિ, માકેટીંગ યાર્ડમાં કાલ સુધીમાં તમામ હરરાજીનં કામ પૂર્ણ કરી લેવાશે, હાલ એક માત્ર કપાસની આવક વધુ પ્રમાણમાં હોય ત્યારે ખેડુતો પોતાનો કપાસ જ યાર્ડમાં ઠાલવી શકશે. તા.૧૩ થી ૧૮ નવેમ્બર દરમ્યાન યાર્ડનું સંપૂર્ણ કામકાજ બંધ રહેવા પામશે. અને તા.૧૯ને લાભ પાંચમથી રાબેતા મુજબ કામગીરી શરૂ કરાશે તેમ સુત્રોમાથી જાણવા મળ્યું છે.
Trending
- ATM માંથી ફાટેલી નોટો નીકળે તો તરત જ આ કરો
- શું તમને પણ નખ ચાવવાની ખરાબ આદત છે?
- ઉછાળા સાથે ખુલ્લું શેરમાર્કેટ
- શું તમને પણ ક્રોસ પગવાળું બેસવું કમ્ફર્ટેબલ લાગે છે?
- ગૂગલે ડીપફેક પોર્ન સેવાઓનો પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો
- ઘરની બહાર નીકળતી વખતે દહીં સાકર કેમ ખવડાવવામાં આવે છે?
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પોતાના ક્ષેત્ર માં આગળ વધી શકો અને પ્રગતિ થાય
- ઉત્તરાખંડના જંગલમાં લાગી વિકરાળ આગ , 5 લોકોના મોત