Abtak Media Google News

વિશ્ર્વમંગલમ્ આશ્રમના ક્રાંતિકારી સ્વામી સૌરાષ્ટ્રની સંસ્થાઓની સેવાકીય પ્રવૃતિથી પ્રભાવિત થયા

દામનગર સોરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન દામનગર શહેરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા સહિત સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લીધી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ જીવદયાની પ્રવૃત્તિ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી સંસ્થા ના ટ્રસ્ટીઓનું શાલથી સન્માન કર્યું હજારો અબોલજીવોની સેવા કરતા જીવદયા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી ભગવનભાઈ નારોલા નટુભાઈ આસોદરિયા મનુસુખભાઈ નારોલા લાલજીભાઈ સિદ્ધપરા અરવિંદભાઈ બાલધા જયતિભાઈ નારોલા કાંતિભાઈ આસોદરિયા બબાભાઈ નારોલા સહિતના ટ્રસ્ટી ઓની સેવાથી ખુશી વ્યક્ત કરી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સર્વ જીવદયા પરિવારના સ્વંયમ સેવીઓની સેવાની સરાહના કરી હતી દામનગર શહેરની વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ઓની મુલાકાતો લઈ સંસ્થા ના સૂત્રધારની સેવા પ્રવૃત્તિને વંદનીય ગણાવી હતી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ અનસૂયા ક્ષુધા કેન્દ્ર ટ્રસ્ટ  સિનિયર સીટીઝન ટ્રસ્ટ સહિતની સંસ્થાના સૂત્રધારની શુભેચ્છા મુલાકાતો લીધી હતી સામાજિક અગ્રણી ભગવનભાઈ નારોલા રામજીભાઈ ઈસામલિયા રફીકભાઇ હુનાણી કલાભાઈ કુવાડિયા મહેશભાઈ નારોલા મહિપતબાપુ જીતુભાઇ બલર દેવચંદભાઈ આલગિયા રાજુભાઇ ઈસામલિયા વિમલભાઈ ઠાકર સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લઈ સોરાષ્ટ્ર માં ચાલતી આવી સુંદર વંદનીય પ્રવૃત્તિ થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.