Abtak Media Google News

‘અબતક’ ની મુલાકાતમાં આગેવાનો એ સેવાયજ્ઞનો લાભ લેવા જ્ઞાતિજનોને કર્યો અનુરોધ

સામાજીક સેવા શિક્ષણ અને આર્થીક કાર્ય માટે કાર્યરત દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ સેવા સમાજ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Advertisement

‘અબતક’ ની મુલાકાતે આવેલા, આશિષપુરી મગનપુરી, ગોતમગીરી ચમનગીરી, સુરેશગીરી શાંતિગીરી, કૈલાસગીરી હંસગીરી, મૌલકગીરી, અશ્ર્વીનભાઇ અંકિતપુરી શંભુપુરી, જનકપુરી રમણીકપુરીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે  દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા કાલે રવિવારના રોજ દશનામ ગોસ્વામી જ્ઞાતિના વિઘાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ સંચાલીત પુજય રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ આનંદનગર કોલોની મેઇન રોડ, રાજકોટ ખાતે સવારે 8.30 કલાકે રાખવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં વસ્તા દશનામ ગોસ્વામી જ્ઞાતિના વિઘાર્થીઓ લાભ લેવા મંડળ જયોતિષગીરી રામગીરી તથા વિજયગીરી અમૃતગીરી ગોસ્વામીએ અપીલ કરેલ છે.દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા આગામી સમયમાં ભવ્યાતિભવ્ય તેજસ્વી વિઘાર્થી સન્માન સમારંભ યોજાશે.તેના ફોર્મ તા. 11 થી 1-7 સધીમાં ઓમ વિઘાલય આનંદનગર ખાને માર્કશીટની ઝેરોક્ષ સાથે પ્રફુલગીરી ગોસ્વામીનો સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.