હાલ વિશ્વ આખામાં ચાલી રહેલ કોરોના મહામારીથી સ્વ બચાવ તથા તેનું સંક્રમણ અટકાવવાના સરકારની ગાઈડ લાઈન મુજબ મોરબી ઇન્ડિયન લયોનેસ કલબ દ્વારા ગઇકાલે તા.૨૪ના રોજ સીટી પોલીસ સ્ટેશનના સામેના ખુલ્લા મેદાનમાં શાકભાજી તથા ફ્રુટનો ધંધો કરતા દરેક પાથરણા વાળાને માસ્ક, સેનેટાઈઝરની બોટલ તથા મીનરલ વોટરની બોટલ આપી તમામને જાગૃતિનો સંદેશ આપેલ હતો.આ પ્રોજેક્ટમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે ૫-૫ મેમ્બરોના અલગ-અલગ ગ્રુપ બનાવી દરેક મેમ્બરને લાભ મળે તેવું આયોજન કરેલ હતું. સેનેટાઈઝર તથા મીનરલ વોટરના ડોનર સેક્રેટરી મયુરીબેન કોટેચા પણ વિતરણ કરવાનો લાભ લીધેલ છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા સેક્રેટરીશ્રી મયુરીબેન કોટેચા, ટ્રેઝરર નયનાબેન બરા, પુનમબેન હીરાની, કામિનીબેન સિંગ, રંજના બેન શાડા, સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ કોરોના સંક્રમણમાં સ્વ બચાવ તથા જાગૃતતા અભિયાન મોરબી ઇન્ડિયન લાયોનેસના પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ તથા શોભનાબા ઝાલા તથા તેમની કારોબારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે