Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Rajkot»રાજકોટના આંગણે રજુ થશે ગાંધીજી અને મેડેલીન સ્લેડના સંબંધો પર આધારિત નાટય પ્રયોગ ‘રંગી મોહન કે રંગ’
Rajkot

રાજકોટના આંગણે રજુ થશે ગાંધીજી અને મેડેલીન સ્લેડના સંબંધો પર આધારિત નાટય પ્રયોગ ‘રંગી મોહન કે રંગ’

By Abtak Media29/01/20193 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

૮મીએ હું આત્મકથા છું ટીમનું નવું સોપાન

૩૦ થી વધારે કલાકાર– કસબીના કૌશલ્યનો થશે પરિચય: જેલ, સ્ટીમર, ટ્રેન, કાર બધું એક મંચ પર: ૧લી થી ચાર સ્થળે પાસનું વિતરણ

 

જુલાઇ માસમાં રાજકોટના ભાષા પ્રેમી નાટય રસિકો માટે હું આત્મકથા છું નામનો સરસ નાટય પ્રયોગ જે ટીમ રાજકોટ, જામનગર, ભરુચ અને ગાંધીનગરમાં કર્યો એ જ ટીમ કેટલાક નવા કલાકાર સાથે વિશાળ ફલક પર એક મોટા ગજાનો નાટય પ્રયોગ લાવી રહી છે. મહાત્મા ગાંધીજીના જન્મના ૧૫૦માં વર્ષ નીમીતે ગાંધીજી અને મેડેલીન સ્લેડ, મીરાબહેનના વિશિષ્ટ સંબંધ પર આધારીત નાટય પ્રયોગ રંગી મોહન કે રંગ તા.૮મી ફેબુચારી ૨૦૧૯ ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ વાગ્યે ભજવાશે. રાજકોટના આ કલાકારોની આ કોશિશને ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી ગાંધીનગરને સહયોગ મળ્યો છે. ગાંધી વિચાર જેના કેન્દ્રમાં છે એવો આ નાટયપ્રયોગ એકેડેમીના આર્થિક સહયોગથી યોજાઇ રહ્યો છે. શો નું આયોજન સેવન્થ સેન્સ કન્સેપ્ટ હારિત ઋષિ પુરોહિત દ્વારા કરાયું છે. બે અંકના આ નાટકનું લેખન પત્રકાર જવલંત છાયાએ કર્યુ છે. જયારે દિગ્દર્શન રક્ષિત વસાવડાનું છે. ભવ્ય અને અત્યંત કળાત્મક મંચ રચના અને અન્ય સામગ્રી કેયુર અંજારીયાની સુઝબુઝની દેણ છે. રાજકોટના રંગ મંચ પર આટલા વિશાળ પાયા પર આવી ટેનીકલ અને કળાના સમન્વય સાથે નજીકના ભૂતકાળમાં આવો પ્રયોગ થયો નથી.

જંગી ખર્ચ અને વિશાળ આયોજન માંગી લેતો આ નાટય પ્રયોગ રાજકોટમાં થઇ રહ્યો છે. એનું મોટું શ્રેય ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમી અને એના અઘ્યક્ષ પંકજ ભટ્ટને છે. રાજકોટના કલાકારોએ તૈયાર કરેલી આ કૃતિનું મંચન થાય એ માટે પંકજ ભટ્ટે અંગત રસી લીધો હતો.

ALSO READ  ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવની તૈયારીઓનો ધમધમાટ: 25માં વર્ષમાં મંગલ પ્રવેશ

સમગ્ર પ્રયોગનું વિચારબીજ, આલેખન, સંશોધન, નાટય ‚પાંતર અન પરિકલ્પના ચિત્રલેખાના પત્રકાર જવલંત છાયાના છે. રંગી મોહન  કે રંગ નાટકનું દિગ્દર્શન હું આત્મ કથા છું. ના દિગ્દર્શક રક્ષિત વસાવડાએ કયુૃ છે. અત્યંત ગહન અને નાજુક વિષયને ઉપસાવવામાં એમની કળાસૂઝના પારખાં રાજકોટને થશે. એક સાથે ૩૦ કળાકાર અને પ૦ થી વધુ દ્રશ્ય મંચ ઉતારવા કપરું કામ એમણે કર્યુ છે. તો નાટક માટે ભવ્ય અને ટેકિનનક તથા કળાત્મકતાથી ભરપુર મંચસંરચના કેયુરી અંજારીયાએ કરી છે. મંચ પર જે વાત અશકય જ લાગે  એ એમણે આમા કરી બતાવી છે. દરેક પ્રસંગને અનુરુપ વાસ્વવિક ફોટો, સંદર્ભ શોધવામાં પણ એમણે અગત્યની ભૂમિકા ભજવી છે. ગાંધી વિચારનું વહન કરતું છતાં આધુનિક લાગે, નવી પેઢી જેને ગાઇ શકે. ગણગણી શકે એવું સુરિલુ સંગીત રાજકોટના જ વતની હાલ હૈદરાબાદ વસતા ફલક છાયાએ ખાસ આ શો માટે તૈયાર કર્યુ છે. નીરજ શાહના સ્ટુડીયો હાર્મનીમાં થયેલું રેકોડીંગ અને સંગીત પણ આ નાટકનું અગત્યનું પાસું છે.

ALSO READ  રાજકોટ આવકવેરા વિભાગને ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા રૂ.3,585 કરોડના કલેક્શનનો ટાર્ગેટ !!!
મહાનપાત્રોલ મંચ પર

ગાંધીજીના જીવન અને દેશના સ્વતંત્રતા સંગ્રામ દરયિમાન અનેક વ્યકિતત્વો આ દેશમાં થયા. એમાંથી ગાંધીજી અને મીરાંબહેન એ બે મુખ્ય પાત્ર ઉપરાંત સરદાર પટેલ, મહાદેવ દેસાઇ, સ્વામી આનંદ વગેરે પણ મંચ પર આવશે. ફ્રેન્સ નવલકથાકાર રોમાં રોલા પણ આ કથાનો મહત્વનો હિસ્સો છેે.

પાસ મેળવવા સંપર્ક કરવો

રંગી મોહન કે રંગ નાટય પ્રયોગના પ્રવેશ પત્રોનું વિતરણ તા.૧ ફેબ્રુઆરીની સાંજથી થશે. ટી પોસ્ટ- રેસકોર્સ રીંગ રોડ, અને લીમડા ચોક તથા ટીપોસ્ટ  દેશી કાફે, કાલાવડ રોડ ખાતે પ્રવેશ પત્ર મળી શકશે. રોટરી મીડટાઉન લાયબ્રેરી અમીન રોડ ખાતેથી પણ પાસ પ્રાપ્ત થશે. નાટકના શો માં પ્રવેશ નિ:શૂલ્ક છે પરંતુ પાસ મેળવી લેવો હિતાવહ છે. પાસ હશે ત્યાં સુધી જ આપશે.

શું છે આ પ્રયોગ?

ગાંધીજીના ગાંધી વિચારના ચાહક જેમ ભારતમાં હતા એમ પરદેશમાં પણ હતા. એમાના એક મેડેલીન સ્લેડ, સ્લેડ, ઇગ્લેડના લશ્કરના એડમિરલના આ પુત્રી સંપૂણપણે પશ્ચીમી વાતાવરણમાં ઉછર્યા. જીવનમાં અચાનક કેટલાક પરિવર્તન આવ્યા અને એ ગાંધી વિચારથી પ્રભાવિત થયાં. ગાંધીજીને મળ્યા વગર એમની વાતો મેડેલીનને સ્પર્શી ગઇ. ગાંધીજીની પરવાનગી લઇને એ પોતાનું ઘર, દેશ  બધું છોડી ભારત આવ્યા. સાદાઇ અને સેવા અપનાવી ૩૪ વર્ષ ભારતમાં રહ્યા. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં પણ હિસ્સો લીધો અને ગાંધીજીના અહિંસા, અસ્પૃશ્યતા, પશુપાલન  જેવા વિચારો પર કામ પણ કર્યુ. ગાંધીજીએ એમને મીરા નામ આપ્યું હતું. ગાંધીજી અને મીરાબહેનના સંબંધી વિશેષ છે. આ સમગ્ર નાટય પ્રયોગ આ સબંધો પર આધારીત છે.

ALSO READ  ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટમાં 53 જગ્યાઓ માટે નીકળી ભરતી

Mahatma Gandhi Death rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleતપસમ્રાટ પૂ.ગુરુદેવ મ.સા.ની ર૧મી પુણ્યતિથિ પવાનોત્સવ તરીકે ઉજવાશે: જૈન સમાજમાં ઉત્સાહ
Next Article ‘એક સાઝ કંઈ અંદાઝ’ સાથે બાંસુરી અને તબલાનો રવિવારે ભવ્ય ફયુઝન કન્સર્ટ
Abtak Media
  • Website

Related Posts

બેન્ક ડિફોલ્ટરોની 73 કરોડની મિલકતોનો કબજો બેન્કોને સોંપતા મામલતદારો

21/09/2023

રૈયાગામના નશો કરેલા યુવકને પોલીસ પકડે તે પહેલાં કર્યો આપઘાત

21/09/2023

સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં પાંચ યુવાનના હાર્ટ એટેકથી મોત

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.