Abtak Media Google News

ચાલુ કર માળખુ અને જીએસટીના તફાવતના કારણે નુકસાનીના ભયી દવાના વેપારીઓએ જથ્થામાં  ઘટાડો કર્યો

સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ જીએસટી લાગુ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે જીએસટીના કારણે નુકશાન ન પહોંચે તે માટે દવાઓના વેપારીઓએ દવાનો સ્ટોક ઓછો કરી નાખ્યો છે અને આ અસરના કારણે દવાની અછત ઉભી ાય તેવી ભીતિ સર્જાઈ છે. દવાનો સ્ટોક કરનારા વેપારીઓને ચિંતા છે કે, હાલના કર માળખા અને જીએસટી વચ્ચેના તફાવતના કારણે નુકશાન જશે. આ નુકશાની બચવા માટે ઓછામાં ઓછો સ્ટોક રાખવામાં આવી રહ્યો છે અને વધારાની દવાઓ કંપનીઓને પરત મોકલવામાં આવી રહી છે. દવાઓના સ્ટોકમાં ઘટાડો તા જીએસટી લાગુ યા બાદ ોડા સમય માટે માંગ અને પુરવઠામાં અસમતોલન સર્જાય તેવું લાગી રહ્યું છે. જો કે આ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા કહેવાઈ રહ્યું છે કે, આ અછત બહુ લાબો સમય સુધી રહેવાની શકયતા ઓછી છે. વધુમાં એવા સુચનો પણ આપવામાં આવી રહ્યાં છે કે, દવાના વેપારીઓએ જ‚ર પ્રમાણેનો જથ્ો રાખવો જોઈએ જેી લોકોની માંગ સચવાઈ અને જીએસટી લાગુ તા જો કોઈ તફાવતો ઉભા ાય તો નુકશાન પણ ન જાય. જો કે, ડિલરો અને સ્ટોકીસ જીએસટીના કારણે વેટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે.

દવાના ડિસ્ટ્રીબ્યુટરો સામાન્ય રીતે ૪૦ દિવસનો સ્ટોક રાખતા હોય છે ત્યારે છુટક વેપારીઓ ૧૦ દિવસનો સ્ટોક રાખે છે પરંતુ જીએસટી લાગુ વાની તૈયારી શ‚ તા ડિસ્ટ્રીબ્યુટરોએ સમયગાળો ૧૫ દિવસનો કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.