Abtak Media Google News

મતાજીનો મંત્ર: ૐ હ્રીં ક્રિં સ્વામિન્યે નમ:

નૈવેદ્ય: માતાજીને કેળાનો પ્રસાદ ધરાવો તથા બ્રાહ્મણોને ભોજન કરાવું

મા દુર્ગાનું પાંચમુ સ્વરૂપ સ્ક્ધદમાતા છે જેની ઉપાસના નોરતાના પાંચમા દિવસે એટલે કે પાંચમના રોજ થાય છે.

સ્ક્ધદમાતામાં સ્ક્ધદ એટલે કુમાર કાર્તિકેય નામથી ઓળખાય છે.જે દેવતાઓનાં સેનાપતી છે.જેમના માતા એટલે સ્ક્ધદમાતા જેના ખોળામાં કુમાર કાર્તિકેય બાળ‚પમાં બેઠા છે.

માતાજીને ચાર હાથ છે. હાથમાં કમળ, વરમુર્દ્રા છે અને કમળના આસનમાં સુશોભિત છે. માતાજીને પદમાસના દેવી પણ કહેવામાં આવે છે. માતાજીનું વાહન સિંહ છે.

માતાજીની ઉપાસના સાવધાની પૂર્વક અને એક ચિતે અને ધ્યાન પૂર્વક કરવી જોઈએ માતાજીની ઉપાસનાથી મનની શુભ મનોકામના પૂર્ણ થાય છે. અને મોક્ષ મળે છે. માતાજી સૂર્ય મંડળના અધિષ્ઠાત્રી હોવાના કારણે માતાજીની ઉપાસનાથી શરીરમાં તેજ આવે છે.

ખાસ કરીને માતાજરની ઉપાસના એકાગ્રતાથી કરવી જોઈએ આથી ભવસાગરના દુ:ખોમાંથી મૂકિત મળે છે. તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ જોષી દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.