દ્વારકાના સ્વામિનારાયણ ભકિતધામ ખાતે ગઈકાલથી સદગુરુ સ્મૃતિ વંદના મહોત્સવ એવમ શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો શુભારંભ થયો છે. દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલ સ્વામિનારાયણ આશ્રમ ખાતે યોજાઈ રહેલ આ દિવ્ય મનોરથમાં વ્યાસપીઠ પરથી વકતા દ્વારકાના સ્વામી સરજુદાસજી સુમધુર રચનાત્મક શૈલીમાં સંગીતસભર કથાઅમૃતનું રસપાન ઉપસ્થિત હરિભકતોને કરાવી રહ્યા છે. આ દિવ્ય પ્રસંગોનો બહોળી સંખ્યામાં હરિભકતો કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે. આ સાથે હરિભકતોને રહેવા માટેનું સુવિધાયુકત સ.ગુ.ગોપાળાનંદજી સ્વામી યાત્રીક ભવનનું ઉદઘાટન, બ્રહ્મ ભોજન તેમજ મહાવિષ્ણુયાગ, યજ્ઞવિધિના આચાર્યપદે વેદપુરુષ ધીરેનભાઈ ભટ્ટ (નડીયાદ) આદિવિપ્રો વેદોકત વિધિથી કરાવી રહ્યા છે. કથાવાર્તા, યજ્ઞદર્શન તેમજ આચાર્ય મહારાજ તેમજ સંતગણોના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં હરિભકતો એક સપ્તાહ સુધી ઉપસ્થિત રહેનાર છે. આ સમારોહ તા.૨૪ થી તા.૩૦ દરમ્યાન યોજાનાર છે
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…