Abtak Media Google News

લગભગ એકાદ દાયકાથી દ્વારકા યાત્રાધામમાં કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા વિકાસના કાર્યો થયા હોય અને હજુ પણ અનેક વિકાસ કાર્યો થનાર હોય કેન્દ્ર તથા રાજય સરકારની સાથે સાથે દ્વારકા નગરપાલિકા પણ ભગવાન શ્રીકૃષ્ણની આ પૌરાણિક નગરીને હીરેટેજ લુક આપવાના આશય સાથે જગતમંદિરને જોડતા તેમજ મુખ્ય રસ્તાઓ પર અંદાજિત ‚પિયા સાડા ચાર થી પાંચ કરોડ ‚પિયાના ખર્ચે વિકાસ કાર્યો થનાર છે. જેમાં આશરે ૨૦૦ જેટલી હેરીટેજ લુક ધરાવતી સ્ટ્રીટ લાઈટ્સ તેમજ ૯૦ જેટલા રસ્તાઓના નિદર્શન સાથેના સાઈનેજીસ પોલ પણ નાખવામાં આવશે.

આ તમામ પોલ હેરીટેજ લુકની સાથે સાથે અત્યાધુનિક સુવિધા સાથેના હશે જેમાં ઈલેકટ્રીસીટીની સાથે સાથે સીસીટીવી કેમેરા અને પબ્લીક એનાઉન્સીંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે. હેરીટેજ લુક ધરાવતી સ્ટ્રીટ લાઈટ નાખવાનું કામ ગઈકાલે સિદ્ધનાથ રોડ તેમજ જોધા માણેક રોડ વિસ્તારમાં શ‚ કરી દેવાયું છે. જે આગામી સમયમાં જગતમંદિરને જોડતા પ્રમુખ રસ્તાઓ, સિદ્ધનાથ વિસ્તાર, ઈસ્કોન ગેઈટથી જગતમંદિર સુધીનો માર્ગ તેમજ શહેરના પ્રમુખ માર્ગોમાં પણ નાખવામાં આવનાર છે.

ગઈકાલે સૌપ્રથમ ટેસ્ટીંગ સમયે નવનિયુકત પ્રમુખ જીતુભા માણેક તથા ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયાએ પાલિકાના એન્જીનીયર રમેશભાઈ કણઝારીયા તથા સેનેટરી ઈન્સ. સંજયભાઈ દત્તાણીની ઉપસ્થિતિમાં નિરીક્ષણ કર્યું હતું.

જે સુવિધા નજીકના સમયમાં શહેરભરમાં ઉપલબ્ધ કરાવી કાર્યાન્વિત કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.