Abtak Media Google News

૩૩૪ કામો પૂરજોશમાં: ૨૦૮ જેસીબી મશીન તેમજ ૧૯૭૦ ટ્રેકટર અને ડમ્પરની મદદથી ૬૭૭૦૯૧ ઘનમીટર પાણીનો સંગ્રહ વધશે

ગુજરાત સરકારે અમલમાં મુકેલી સુજલામ સુફલામ જળસંચય યોજનાને સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે. અને સ્વયંભૂ રીતે આ મહાયજ્ઞનું કાર્ય આગળ વધી રહ્યું છે.

Advertisement

આ યોજના હેઠળ પાણી સંગ્રહ કરવાના કામો પૈકી કુલ ૩૩૪ કામો હાલ પ્રગતિમાં છે. જેમાં ૨૦૮ જેસીબી હીટાચી મશીનો દ્વારા અને ૧૯૭૦ ટ્રેકટરો ડમ્પરો અને ૯૨૦૦ મજુરોની મદદથી આ જળસંચયના કામો પૂર્ણતાને આરે છે. આ કામો થવાથી ૬૭૭૦૯૧ ઘનમીટર જેટલી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. આ કામો પાછળ આજ સુધીમાં રૂપીયા ૩૭૫.૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર સરદાર નિગમ લી. તરફથી ૧૬ કીમી લાંબી પાઈપ લાઈન સાફ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. તે સામે નિગમે ૧૦૦ ટકા કામગીરી પુરી કરી ૧૬ કીમી લાંબી નહેરની સફાઈનું કામ પૂર્ણ કર્યું છે. જેનાથી નર્મદા નહેરમાં પાણી વહેવડાવવાની ક્ષમતામાં બમણો થશે.

ઉપરોકત કામો પૈકી સૌથી વધુ કામો સિંચાઈ વિભાગ કરી રહ્યું છે. આજની તારીખે સિંચાઈ વિભાગના ૧૯૨ કામો પૈકી ૧૭૫ જળસંચયના કામો ચાલુ છે. જેમાં ૧૮૯ જેસીબી હીટાચી મશીનરી ૧૮૩૫ ટ્રેકટર અને ડમ્પર તેમજ ૫૬૭૪ મજૂરોની મદદથી ૩૦ કામો પૂરા કરવામાં આવ્યા છે. આ કમોથી ૫૪૦૦૦૦ ઘન મીટર પાણીનો સંગ્રહ થશે.

જયારે લોકભાગીદારીથી ૧૨ કામો પ્રગતિમાં છે. અને તેના પર ૨૮૮ મજૂરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજય સિંચાઈ વિભાગ હેઠળ ૩, મનરેગા હેઠળ ૬૭, વોટર શેડ યોજના હેઠળ ૪૨, વનવિભાગ દ્વારા ૨૨ અને નગરપાલીકા દ્વારા ૧૩ કામો ચાલી રહ્યા છે. માસન અંત પહેલા નિર્ધારીત કરેલા જળ સંચયના કામો પૂરા કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.