Abtak Media Google News

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા પાસે ગઈરાત્રે એક અજાણ્યું વાહન રોડ ક્રોસ કરતા યુવાનને ફંગોળી નાસી ગયું છે. ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

જામનગર તાલુકાના ફલ્લામાં રહેતા શૈલેષગીરી ગોપાલગીરી ગોસાઈ (ઉ.વ.૩૫) નામના યુવાન ગઈ રાત્રે નવેક વાગ્યે ફલ્લા પાસે આવેલી સૂર્યોદય હોટલ નજીકથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે જામનગરથી રાજકોટ તરફ પૂરઝડપે ધસી જતું કોઈ અજાણ્યું વાહન આ યુવાનનું ઠોકર મારી ફંગોળી દઈ પલકવારમાં નાસી છૂટયું હતું.અજાણ્યા વાહનની ઠોકરથી જોશભેર રોડ પર પછડાયેલા શૈલેષભાઈને ગંભીર ઈજાઓ સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓની સાથે આવેલા સંજયભારથી ગોસાઈનું જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયાએ નિવેદન નોંધ્યું હતું તે દરમ્યાન ઈજાગ્રસ્ત શૈલેષભાઈનું મૃત્યુ નિપજતા ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.