Abtak Media Google News

જૂનાગઢ ખાતે જિલ્લા સહકારી બેંક દ્વારા આયોજીત ખેડૂત મહા શિબિરમાં મંત્રીએ આપી હાજરી

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા આયોજિત ખેડૂત મહાશીબીરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ,કેમિકલ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિતિ રહેલ. આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેઓએ જણાવેલ કેદેશના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન હંમેશા મહત્વનું રહ્યું છે.સરદાર વલ્લભભાઈ પટેલએ કહેલું કે, મારી એકમાત્ર ઈચ્છા છે કે ભારત ઉત્પાદક રાષ્ટ્ર બને, અને કોઈપણ વ્યક્તિ ભૂખી ના રહેકે અનાજ માટે આંસુ ના સારે. આપ સૌ ખેડૂતો મિત્રોને વંદન સાથે અભિનંદન આપું છું કે આપે સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કર્યું છે.દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વસતી ૩૩ કરોડ જેટલી હતી.

તેવા સંજોગોમાં પણ આપણે અનાજની આયાત કરવી પડતી હતી. આજે જ્યારે દેશની વસ્તી ૧૩૫ કરોડ જેટલી થઈ છે અને આ વર્ષો દરમિયાન ખેતીલાયક જમીન ખૂબ મોટા પ્રમાણમાં ઘટી છે તો પણ આજે દેશ અનાજની નિકાસ કરી શકે તેવી સ્થિતિમાં છે. આ તમામ શ્રેય કોઈને જતો હોય તો એ ફક્તઆ દેશના ખેડૂતો છે.તેમને કરેલ રાત-દિવસના પુરુર્ષાથના પરિણામે આદેશ અન્ન સ્વાવલંબી બન્યો છે. આજે સરકાર અન્ન સલામતી કાયદો બનાવે છે તો તે ખેડૂતોના ભરોસે બનાવે છે, આ દેશનો ખેડૂત પુરુર્ષાથ કરેત્યારે જ સરકાર ગરીબોને અનાજ આપી શકે છે. એટલે જ ખેડૂતોને જગતના તાત કીધા છે.1સરકારે પણ નિર્ધાર કર્યો છે જ્યારે વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે આઝાદીનું ૭૫મું પર્વ મનાવે ત્યાં સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે. આ માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં ઉઠાવવામાં આવી રહેલ છે.ખેડૂતો માત્ર ખેતી પર જ નિર્ભર ન રહે, પરંતુ ખેતીની સો ખેતીને આનુસાંગિક પ્રવૃત્તિઓમાં પણ જોડાય તે માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ખેતી ઉપરાંત પશુપાલન, મરઘા ઉછેર, સૌરઊર્જા ઉત્પાદન, ઇેનોલનું ઉત્પાદન, વગેરે જેવી પ્રવૃત્તિઓ કરે તા પોતે પકવેલા પાકનું વેલ્યુ-એડિશન કરે તે માટે સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને સહાય કરી રહી છે.

જેથી કરી ક્યારે કોઈ વર્ષે કુદરતી સંજોગોના કારણે પાક નબળો થાય તો પણ ખેડૂતોની આવક જળવાઇ રહે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સૌરઊર્જા ઉત્પાદન માટેની ‘એસકેવાય’ યોજના ખેડૂતો માટે જાહેર કરવામાં આવી છે. જેના દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં વપરાતી વીજળી ઉપરાંત વધારાની સૌરવીજળી વેચીને એક મોટી રકમની આવક કરી શકશે. આમ ખેડૂતો હવે ખેતરમાં પાકની સો તડકો પણ લણશે.

પશુપાલન ઉદ્યોગને પ્રોત્સાહન મળે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરાયો છે કે પશુપાલન અને માત્સોધ્યોગ સો સંકળાયેલા લોકોનેપણ ખેડૂત ની જેમજ કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવશે. જેી હવે તેઓને વ્યવસાય કરવા કોઈ ર્આીક ભીડ રહેશે નહિ તા સસ્તા દરે ધિરાણ મળશે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૪નીસામે આજે ૨૫ ટકા જેટલું વધારે ધિરાણ દેશના ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે. આમ ખેડૂતોને ખેતી કરવા માટે જરૂરી નાણાં અને ર્આકિ બોજ વગર મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.