Abtak Media Google News

પત્નીના ત્રાસથી કંટાળી ૩૨ વર્ષીય યુવાને ૧૧ વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગળાફાંસો ખાધો !!

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કથિતરીતે પિતાએ પ્રથમ પુત્રની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો છે અને આ પગલું ભરવા પાછળ મૃતકની પત્ની જવાબદાર હોય તેવું સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે.

Advertisement

એક અધિકારીએ જણાવ્યું કે, શનિવારે સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેના આધારે મૃતકની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

મદદનીશ પોલીસ કમિશનર એમ.પી. ભોજાણીએ જણાવ્યું હતું કે, પરેશ સિકલીગર (ઉ.વ. ૩૨) અને તેનો પુત્ર ચાર્મિશ (ઉ.વ ૧૧)શનિવારે વડોદરા શહેરની હદમાં આવેલા બાપોદ વિસ્તારમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓએ પરેશ અને તેના પુત્ર ચાર્મિશને અલગ-અલગ રૂમમાં લટકતા જોયા તેવું તેમણે જણાવ્યું હતું.

ભોજાણીએ કહ્યું, પરેશે પહેલા તેના પુત્રની હત્યા કરી, પછી તેના ફ્લેટના બીજા રૂમમાં પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.   ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં મૃતકે દાવો કર્યો છે કે તેની પત્નીનું વર્તનથી મૃતક કંટાળી ગયો હતો અને તેના લીધે  જ તે આવું પગલું ભરી રહ્યો છે.

તેમણે કહ્યું કે મૃતક ઓટોરિક્ષા ચાલક હતો. આ દંપતીના લગ્નને લગભગ ૧૨ થી ૧૫ વર્ષ થયા હતા. મૃતકની પત્ની આશાબેન સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.