Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૮માં સ્વાતંત્ર્યપર્વ-૨૦૧૯ની ઉજવણી નિમિત્તે અનેકવિધ કાર્યકમો યોજાનાર છે. જેના ભાગરૂપે તા.૧૪મી ઓગષ્ટના રોજ ખાતે સાંજે ૫-૦૦ કલાકે ફાયરબિગ્રેડના વાહનોની રેલી યોજાનાર છે.

પૂર્વ ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલના વરદહસ્તે શુભારંભ થનાર આ રેલીના અધ્યક્ષસ્થાને રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય રહેશે. મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ, નાનામવા સર્કલ પાસે,૧૫૦ ફુટ રીંગરોડ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કમિશ્નર બંછાનિધિ પાની, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી ઉદયભાઇ કાનગડ, શિશુ કલ્યાણ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન રૂપાબેન શિલુ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ,પદાધિકારીઓ તથા વોર્ડના સદસ્યો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં નગરજનોને ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર નિમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.