Abtak Media Google News

સુત્રધાર મગન ઝાલાવડીયા ૧૦ દિવસના રિમાન્ડ પર

શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગ અને બારોબાર સગેવગે કરી નાખવાના કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયાને અદાલતે ૧૦ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કરાયો છે. બારદાન સગેવગે કરવામાં સંડોવાયેલા વધુ પાંચ શખ્સોની બી-ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

મગફળી ભરવા માટે કલકત્તાની બારદાન મંગાવ્યા બાદ જૂના યાર્ડે બારદાનનો અમુક જથ્થો જ સળગાવી બચેલા બારદાનને બારોબાર વેંચી નાખવાના કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયાને પોલીસે રિમાન્ડની માંગણી સો કોર્ટમાં રજૂ કરતા અદાલતે ૧૦ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

મગન ઝાલાવડીયાના ફઈના દિકરા મનસુખ ભીખા ઉર્ફે બાબુ જેઠા લીંબાસીયા, કાનજી દેવજી ઢોલરીયા, નિરજ મનસુખ ગજેરા, પરેશ હંસરાજ શંખારવા અને કાળુ બાબુ ઝાપડા નામના શખ્સોની સંડોવણી બહાર આવતા બી-ડીવીઝન પીઆઈ આર.એસ.ઠાકર સહિતના સ્ટાફે પાંચેય શખ્સોની ધરપકડ કરી છે.

મનસુખ લીંબાસીયાએ ગેરકાયદેસર રીતે બારદાનનો જથ્થો પનામ એગ્રો ટેકમાં મોકલી જુદા જુદા વેપારીને સસ્તા ભાવે બારદાન આપવાનો પ્રલોભન આપ્યાનું બહાર આવ્યું છે. જયારે કાનજી ઢોલરીયા સૂત્રધાર મગન ઝાલાવડીયાનો નજીકનો સગો તો હોવાનું બારદાનનો જથ્થો ગોંડલ મોકલવાને બદલે સરધાર અને ત્રંબા ખાતે પોતાના ઓળખીતાઓને ત્યાં મોકલી દીધો હોવાનું બહાર આવ્યું છે.

આસ સાલીગ્રાના નિરજ મનસુખ ગજેરા સળગી ગયેલા બારદાન બાદ બચી ગયેલા બારદાન બીજા ગોડાઉનમાં મોકલવાનું રજીસ્ટર કામ સંભાળતા હતો અને તેને ટ્રકની બીલ્ટી બનાવતો હોવા છતાં બારદાનને સગેવગે કરવામાં સંડોવણી ખુલી હતી. મોરબી રોડ પર જકાતનાકા પાસે અર્જૂન પાર્કમાં રહેતા પરેશ હંસરાજ સંખારવા યાર્ડમાં મેનેજર હતો અને તેને બારદાનને લગતી સંપૂર્ણ કામકાજ સંભાળવાનું હોવા છતાં રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરી મગન ઝાલાવડીયાની મદદગારી કર્યા હોવાનું બહાર આવ્યું છે. જયારે બારદાનની જુદી જુદી મંડળીએ પહોંચાડવાનું કામ કરતા કાળુ બાબુ ઝાપડા, બારદાન સરકારી હોવાનું જાણતા હોવા છતાં બિલ્ટી મુજબની જગ્યાએ ન પહોંચાડી જુદા જુદા વેપારીઓને પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.