લાયન્સ કલબ ઓફ સિટી અને ભૂરખીયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નેત્રમણી આરોપણ કેમ્પ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ લાયન્સ કલબ ઓફ સિટી અમરેલી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ ના નિષ્ણાત તબીબી સ્ટાફ દ્વારા સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રા નિદાન કેમ્પ સુદર્શન નેત્રાલય દ્વારા સવાર ના ૮-૦૦ થી બપોર ના ૧-૦૦ કલાક સુધી સેવારત રહેશે આજે ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે યોજાશે આ કેમ્પ માં દર્દી નારાયણો ને નીચે મુજબ ની સેવા ઉપરાંત ચશ્મા ના નંબર ચેક કરવા માં આવશે દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ સેવારત સંસ્થા ઓ ના સંકલન થી યોજાતા મેડિકલ કેમ્પ નો જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવવા અનુરોધ  આંખ ના રોગ મોતિયા ઝામર વેલ પરવાળા ત્રાંસી આંખ કિકી પડદા જેવી ખામી ઓ નું નિદાન સુદર્શન નેત્રાલય ના તબીબી સ્ટાફ દ્વારા કરવામાં આવશે.

મોતિયા ના દર્દી ઓ ને સંપૂર્ણ મફત તપાસ સારવાર ને ઓપરેશન નેત્રમણી આરોપણ જેવી સુવિધા આપવા આવશે દર માસ ના ત્રીજા બુધવારે યોજાતા સંપૂર્ણ ફ્રી નેત્રનિદાન કેમ્પ માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવવા અનુરોધ તેમ સુમનભાઈ તલવાડિયા જયેશભાઇ પંડ્યા મનોજભાઈ કાનાણી મુકેશભાઈ અકબરી સોમજીભાઈ કીર્તિભાઈ ભટ્ટ ની યાદી માં જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.