Abtak Media Google News

શહેરમાં આપઘાતના બનાવો દીન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ ઘનશ્યામનગરના યુવાને ગળેફાંસો ખાઇ અને આનંદનગરમાં વૃઘ્ધે ઝેરી દવા પી જીવતર ટુંકાવી લેતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પરઆવેલા ધરમનગરમાં રહેતા તેજસ ધીરુભાઇ સરવૈયા નામના ર૪ વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરે છે.

આનંદનગરના વૃઘ્ધે ઝેર પી જીવતર ટૂંકાવ્યું

Manasmediaonline 1477295327આનંદનગર કોલોનીના કવાર્ટરમાં રહેતા કાંતિભાઇ કેશવલાલ સેજપાલ નામના ૭૮ વર્ષના લોહાણા વૃઘ્ધે કોઇ અગમ્ય કારણસર એસીડ પી જતાં વૃઘ્ધને બેશુઘ્ધ હાલતમાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકની લાગણી પ્રસરી હતી આ અંગે બનાવ અંગે ભકિતનગર પોલીસ મથક પીએસઆઇ બી.બી.કોડીયાતર સહીતના સ્ટાફે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.