Abtak Media Google News

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ગો એર નાગપુર સેક્ટર માટે નવી ફલાઇટ શરૂ કરશે. જેના કારણે મુસાફરોને નવી ફલાઇટની સુવિધા મળી રહેશે. મહત્વનું એ છે કે એરપોર્ટ પરથી પ્રથમ આ સેક્ટરની સીધી ફલાઇટ હશે. જો કે આ ફલાઇટ દિવસમાં બે વખત અમદાવાદ-નાગપુરની સેવા આપશે.

Advertisement

ગો એર અમદાવાદ-નાગપુરની આગામી પહેલી ઓગસ્ટથી નવી ફલાઇટ શરૂ કરશે. આ ફલાઇટ અમદાવાદથી સવારે 10:20 કલાકે રવાના થઇ નાગપુર 11:55 કલાકે પહોંચશે. જ્યારે રિટર્નમાં નાગપુરથી આ ફલાઇટ સવારે 8:50 કલાકે ટેકઓફ થઇ અમદાવાદ 9:50 કલાકે પહોંચશે. આ ઉપરાંત સાંજે 6:50 કલાકે પણ અમદાવાદ-નાગપુર માટે રવાના થશે.

એરલાઇન કંપનીએ મુસાફરોને આકર્ષવા શરૂઆત લો ફેરની સુવિધા આપી છે. જે મુજબ અમદાવાદ-નાગપુરનું વન-વે ફેર સિસ્ટમ પર રૂ. 2600 ઉપલબ્ધ છે. જો કે હાલમાં અમદાવાદથી એકપણ નાગપુરની સીધી ફલાઇટ ન હોવાથી પેસેન્જર લોડ ફેક્ટર સારો મળી રહેવાની આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.