Abtak Media Google News

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડમાં છેલ્લા 15 વર્ષથી ડેઇલી બચતનું કામ કરતા બચત એજન્ટનું કોરોનાના કારણે નિધન થતા રોજિંદા બચત કરતા શ્રમિકો પોતાની મૂળી અંગે બેંકે તપાસ કરતા મોટા ભાગના શ્રમિકો છેતરાયા હોવાનો ગોટાળો બહાર આવતા લોકોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું.

Advertisement

મોટાભાગના અભણ ખાતા ધારકોને વિશ્વાસમાં લઇ એજન્ટ દ્વારા કાચી ચિઠ્ઠીઓ અને ડેઇલી બચત બુકમાં સહી સાથે નોંધ કરી દેવાઈ

શહેરના કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા કેતનભાઇ ઘુસાભાઇ ભાલાળા છેલ્લા 15 વર્ષથી બચત એજન્ટનું કામ કરી રહ્યા હતા તેનું કોરોનાના કારણે નિધન થયું હતું બાદમાં સમીમબેન અમીનભાઈ મકરાણી, વર્ષા બેન પપ્પુભાઈ ઠાકોર, ખોળાભાઈ દમજીભાઈ ડાભી, તાજ મહમદભાઈ મકરાણી, જાવેદભાઈ યુશુફભાઈ ચૌહાણ, ઈમ્તિયાઝ યુશુફભાઈ ચૌહાણ, તેજલબેન મિતેશભાઇ દેવીપૂજક, હનીફભાઈ નૂરમામદભાઈ પતાણી, હીનાબેન જગદીશભાઈ ચુડાસમા, રાજેશભાઇ વાઘેલા, વિનોદભાઈ વાલજીભાઈ ટુવરિયા અને વાઘેલા વિશાલસિંહ રાજેન્દ્રસિંહ સહિતનાઓ પોતાની ડેઇલી બચત અને ફિક્સ ડિપોઝીટની રકમ અંગે બેંકે પહોંચ્યા હતા પરંતુ સંતોષકારક જવાબ ન મળતા અને છેતરપીંડીનો ભોગ બન્યાનું જણાતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમીમબેન મકરાણી દ્વારા લેખિતમાં અરજી આપતા પીઆઇ જાડેજા, પીએસઆઈ ડીપી ઝાલાએ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે, કોરોનાથી મોતને ભેટેલા કેતનભાઈ ભાલાળા દ્વારા ખાતા ધારકોને વિશ્વાસમાં લઇ ડેઇલી બચત બુકમાં લાખો રૂપિયાની ફિક્સ ડિપોઝીટની રકમ લખી આપવામાં આવી છે અને મૂળ રકમ બેંકમાં જમા કરાવવા માં આવી નથી આ બનાવમાં કેતન ભાલાળા ઉપરાંત બેંક મેનેજર સહિતનાઓની સંડોવણી હોવાની શંકાઓ હોય ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.