Abtak Media Google News

બહુમતીના જોરે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ બિલ પાસ કરી દેતી સરકાર!!

વિપક્ષ પેગાસસ મુદ્દે હંગામો મચાવી રહ્યુ છે અને બંનેમાંથી એકપણ ગૃહને ચાલવા દેતું નથી ત્યારે કેન્દ્ર સરકારે નવી વ્યૂહરચના અપનાવી છે. તેણે વિપક્ષ ચર્ચા ન કરે તો પણ મહત્ત્વના બિલ તેની બહુમતીના જોરે પાસ કરવા માંડયા છે.

વિપક્ષ સંયુક્ત રીતે પેગાસસ મુદ્દે સંસદને ચાલવા દઈ રહ્યું નથી અને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં જોઈએ તેવી કાર્યવાહી જ થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ નવ દિવસમાં લોકસભા ફક્ત ૧૨ ટકા જ રચનાત્મક રહી છે અને છ કલાક અને ૩૫ મિનિટ જ ચાલી શકી છે. બીજી બાજુ રાજ્યસભાની વાત કરીએ તો તેમા ૨૦મી જુલાઈના રોજ કોવિડ-૧૯ પર છ કલાકથી વધારે ચર્ચા થઈ હતી. રાજ્યસભાના બાકીના દિવસ વિપક્ષના શોરબકોરના લીધે બગડયા હતા. રાજ્યસભા ફક્ત ૨૩ ટકા જ પ્રોડક્ટિવ રહી છે અને તેમા શોરબકોર વચ્ચે ત્રણ બિલ ચર્ચા વગર પસાર થઈ ગયા છે.

લોકસભામાં ધ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ફૂડ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ બિલ ૨૦૨૧, ધ ફેક્ટરિંગ રેગ્યુલેશન(અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ , ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧, ધ એપ્રોપ્રિયેશન (નંબર-૩) ૨૦૨૧, ધ એપ્રોપ્રિયેશન (નંબર-૪) ૨૦૨૧, ધ એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧, ધ ઇનસ્ન્ડ વેસલ્સ બિલ ૨૦૨૧, વિપક્ષના શોરબકોર વચ્ચે ચર્ચા વગર જ પસાર કરી દેવાયા હતા. સરકારે તેની બહુમતીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.

આ રીતે રાજ્યસભામાં ફેક્ટરિંગ (અમેન્ડમેન્ટ) રેગ્યુલેશન બિલ ૨૦૨૦, મરીન એઇડ્સ ટુ નેવિગેશન બિલ ૨૦૨૧, જુવેનાઇલ જસ્ટિસ (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ પસાર કરવામાં આવ્યા હતા. સરકારે ચોમાસુ સત્ર દરમિયાન ૩૦ બિલોને પસાર કરવાની યોજના બનાવી છે. તેમા ૩૦માંથી ૧૭ બિલ નવા હશે. જ્યારે ૧૩ બિલ સંશોધન માટે લાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.