Abtak Media Google News

રવીપાકની સીઝનમાં સરકારે અત્યાર સુધીમાં 171 લાખ ટન ઘઉંની ખરીદી કરી, જે વર્ષના અંત સુધીમાં 300 લાખ ટનને સ્પર્શી જશે

દેશમાં ચાલુ રવીપાકની સીઝનમાં પણ ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને પગલે સરકાર ઘઉંની ખરીદી ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ 25% વધરવાની છે.

Advertisement

દેશમાં સોમવારે ઘઉંની ખરીદી 171 લાખ ટનને સ્પર્શી ગઈ હતી અને ગયા વર્ષ દરમિયાન સરકારી સંસ્થાઓએ 188 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓને વિશ્વાસ છે કે વર્તમાન માર્કેટિંગ વર્ષના અંત સુધીમાં ઘઉંની ખરીદી લગભગ 300 લાખ ટનને સ્પર્શી જશે, જે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વૈધાનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અને જો જરૂરિયાત ઊભી થાય તો બજારના હસ્તક્ષેપ માટે થોડો સ્ટોક રાખવા માટે પૂરતો હશે.

દરમિયાન, કેન્દ્રએ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોને “પંચાયતો” દ્વારા ઘઉંની ખરીદી કરવાની મંજૂરી આપી છે અને તેઓને ક્વિન્ટલ દીઠ રૂ. 27 કમિશન મળશે, જે કમિશન મંડળીઓ અને સહકારી સંસ્થાઓને ચૂકવવામાં આવતા કમિશન જેવું જ છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે આનાથી ઘઉં પ્રાપ્તિને વેગ મળશે કારણ કે ખેડૂતો માટે તેમની ઉપજને નિયુક્ત ખરીદ કેન્દ્રો પર લઈ જવાને બદલે તેમના ગામની પંચાયત કચેરીમાં લઈ જવાનું સરળ બનશે.

ખાદ્ય મંત્રાલયે રાજસ્થાન સરકારને નોન-ડીસીપી મોડ પર ઘઉંની ખરીદી કરવાની પણ મંજૂરી આપી છે, જેનો અર્થ છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સીધી અથવા રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા ખરીદી કેન્દ્રોમાંથી ઘઉંની ખરીદી કરશે.  રાજ્ય એજન્સીઓ પ્રાપ્ત કરેલ ઘઉં એફસીઆઈને સંગ્રહ માટે અથવા વપરાશ કરતા રાજ્યોમાં પરિવહન માટે સોંપશે.  આ કિસ્સામાં, એફસીઆઈ રાજ્યની એજન્સીઓને પ્રાપ્ત ઘઉંની કિંમત ચૂકવશે.

ભારતે જરૂર પડ્યે મુશ્કેલીમાં મુકાયેલ દેશોને અનાજની સહાય કરી !!

ભારત અનાજને લઈને આત્મનિર્ભર હોવાની સાથે વિશ્વ માટે અન્નદાતા પણ છે. અફઘાનિસ્તાન હોય કે શ્રીલંકા ભારતે ડબ્લ્યુટીઓના વિરોધ વચ્ચે પણ જરૂર પડ્યે અનાજની મદદ કરી છે. અફઘાનિસ્તાનમાં જ્યારે અનાજના ફાંફા હતા ત્યારે ભારતે અનાજની જે મદદ કરી તેને લઈને તાલિબાનો પણ ગળગળા થઈ ગયા હતા.

સરકારે ખરીદી વધારતા ભવિષ્યમાં ભાવ વધારો અંકુશમાં રહેશે

સરકાર હાલ વધુમાં વધુ ઘઉંની ખરીદી કરવાના પ્રયાસ કરી રહી છે. ગત વર્ષની સાપેક્ષે સરકારે આ વખતે સરકારી ખરીદી 25 ટકા વધારી છે. જો કોઈ સંકટ આવ્યું, અથવા તો ભાવ વધારો શરૂ થયો ત્યારે સરકાર આ ખરીદેલો જથ્થો બજારમાં મૂકીને ભાવ વધારાને અંકુશમાં રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.