Abtak Media Google News

બે દિવસ પહેલાના સોશ્યલ મીડીયામાં આવ્યા બાદ ધાર્મિક વિવાદ થવા અંગેના આ સમગ્ર મામલાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા આ મામલે દ્વારકા આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની કચેરીના સુપરવાઇઝર સુરેશભાઇ શાહને પૂછતૉ જણાવેલ કે આ સમગ્ર વિવાદ જ ખોટો અને ઉભો કરાયેલો છે. આ મારી પોસ્ટ જ નથી અને પોસ્ટ સાથે મારી સહમતી પણ નથી તેવું જણાવતાં તેમણે કહેલ કે ઓશો લવર નામના ગ્રુપમાં કોઇ સ્વામી અર્હત દ્વારા ભગવાન વિરુઘ્ધની આવી ટીપ્પણી કરવામાં આવી હતી જેને મારા મિત્રોને જણાવવા માટે જ મેં માત્ર આ પોસ્ટને શેઅર કરી હતી. અને આ પોસ્ટમાં લખેલાં ભગવાન અને મંદીર તેમજ પુરોહિતો વિરુઘ્ધના નિવદેન ખોટું હોવાનું જણાવતાં આ અંગે તેઓ જરા પણ સહમત ન હોવાનું પણ તેમણે જણાવતા સમગ્ર મામલાને ગેરસમજને કારણે વ્યર્થમાં જ મોટું સ્વરુપ આપવામાં આવ્યું હોવાનું જણાવતા ઓરીજનલી આ પોસ્ટને ઓશો લવર ગ્રુપમાં સ્વામી અર્હતે પોસ્ટ કરી હોવાનું જણાવતાં તેમને આ પોસ્ટ સાથે કોઇ લેવા દેવા જ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.