Abtak Media Google News

સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે ઘડી કઢાયું આયોજન: યુવા ટીમ દ્વારા તડામાર તૈયારી

સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર રાજકોટ શહેર યુવા સંગઠન સમિતિ દ્વારા તા.૮ ને બુધવારના રોજ સિદસર મંદિરની મુખ્ય ઓફીસ ઉમા સદન, જે.કે.ચોક, યુનિ. રોડ રાજકોટ ખાતે સવારના ૮ થી ૧ વાગ્યા સુધી સર્વ જ્ઞાતિ મહા રકતદાન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સિદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, સિદસર મંદિરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, સિદસર મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ,સિદસર સંગઠન સમિતિના પ્રમુખ કૌશિકભાઈ રાબડિયા, સિદસર મંદિરના ટ્રસ્ટી નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ કોટડીયા, વલ્લભભાઈ વડાલીયા પરસોતમભાઈ ફળદુ, અરવિંદભાઈ કણસાગરા, રમણીકભાઈ ભાલોડીયા તેમજ સંગઠન સમિતિ રાજકોટ શહેરનાં ક્ધવીનર કાંતીભાઈ ઘેટીયા, પ્રમુખ કાંતિભાઈ માકડીયા, મહામંત્રી પ્રફુલભાઈ કાથરોટીયા, ઉપપ્રમુખ વિનુભાઈ મણવર તેમજ મહિલા સંગઠન સમિતિના સરોજબેન મારડીયા, જયોતિબેન ટીલવા, વર્ષાબેન માકડીયા કિર્તિબેન માકડીયા ઉષાબેન બરોચીયા તેમજ શહેર સંગઠનના સર્વે હોદેદારઓ ઉપસ્થિત રહેશે.

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર રાજકોટ શહેર યુવા સમિતિ દ્વારા યોજાનારા મહારકતદાન કેમ્પમાં રાજકોટ શહેરની કડવા પાટીદાર સંસ્થાઓનાં હોદેદારો તથા સભ્યોઓ હાજર રહી રકતદાતાઓને પ્રોત્સાહિત કરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંગઠન સમિતિ સૌરાષ્ટ્રના ક્ધવીનર ધર્મેન્દ્રભાઈ ઉકાણી, રાજકોટ શહેર યુવા સંગઠન સમિતિના ક્ધવીનર કિશનભાઈ ટીલવા, સહ ક્ધવીનર કમલેશ કાલાવાડીયા, પિનલ ટીલવા યોગેશ ભુવા, આનંદ અમૃતીયા, વિશાલ બોડા, અતુલ દેત્રોજા, પિયુષ સીતાપરા નીરજ મણવર નિલેષ હિંશુ સંદીપ કાલરીયા ગોકુલ વાછાણી, મયુર કાલરીયા નિમેશ બોડા, ધ્રુવ પટેલ શ્રેય, સવસાણીવિકાસ વાછાણી, નિશાંત દેલવાડીયા, શ્રેયુ ડેથરીયા, વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ મહા રકતદાન કેમ્પમાં રાજકોટ શહેરની જનતાને વધુમાં વધુ લાભ લેવા કિશનભાઈ ટીલવા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવે છે વધુ માહિતી માટે મો. ૯૯૭૪૦ ૦૧૦૧૦ પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.