Abtak Media Google News
  • અજાણ્યા ઈસમોએ લૂંટના ઈરાદે દંપતિની હત્યા કરી હોવાનું પોલીસનું  બહાર આવ્યું

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના રામનગરમાં રહેતા નિવૃત પોલીસ કર્મી અને તેમની પત્નીની ઘરમાં ધોળે દહાડે હત્યા થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે

Advertisement

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગર શહેરને અડીને આવેલા બળવંતપુરાની રામનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મી વિક્રમસિંહ ભાટી અને તેમના પત્નીનું તારીખ 30 એપ્રિલ 2024 ના મંગળવારના રોજ બપોરે તેમના ઘરમા કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે બંને આધેડ પતિ,પત્નીની હત્યા કરતા પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે ત્યારે અજાણ્યા ઈસમોએ લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાનું હાલતો ચર્ચાઈ રહ્યું છે જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં ડોગ સ્કોડ,એ. ડીવીઝન પોલીસ અને એલસીબી તેમજ જિલ્લા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા જીલ્લા પોલીસની ટીમોએ ચક્રો ગતીમાન કર્યા હતા

જ્યારે નિવૃત્ત પોલીસ પરિવાર ઈડર તાલુકાના મોટાકોટડા ગામનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે જો ધોળે દહાડે નિવૃત્ત પોલીસ કર્મીના પરિવારની હત્યા કરવામાં આવતી હોય તો સામાન્ય પ્રજાની સુરક્ષાનું શું જેવા અનેક સવાલો પોલીસ સામે લોકોમાં ઉઠી રહ્યા છે અને ખાખીનો ખૌફ ગુનેગારોમાં રહ્યો નથી ત્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે જ્યારે હત્યાનું કારણ હજુ અકબંધ છે ત્યારે સાચું કારણ પોલીસ તપાસ બાદજ ખ્યાલ આવી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.