Abtak Media Google News

રાખથી જો ધુળેટી રમવામાં આવે તો ચામડીના રોગો દૂર થાય

ભારતીય પરંપરા મુજબ ગાયના ગોબરમાંથી અને ઔષધીઓથી હોળી પ્રગટાવવામાં આવે છે સમાજમાં તેનું મહત્વ ખૂબ મોટું છે. આવી ગાયના ગોબર અને ઔષધીઓની હોળીના કારણે અનેક રોગો, જીવાણુઓનો નાશ થાય છે.હોળી પ્રાગટ્ય પછી રાખ જેને આપણે કચરાપેટીમાં નાખતા પહેલા હજાર વાર વિચારવું પડે કારણકે તેની કિંમત એક કાચા સોના બરાબર છે.

Advertisement

ગાય આધારિત છાણમાંથી હોળી પ્રગટાવી હોય તેની રાખનો ખૂબજ મહત્વ છે કારણ કે તેમાં ભરપૂર મિનરલસ રહેલા હોય છે. હ્યુમન બોડી માટે ખૂબ ઉપયોગી ફોસ્ફરસ , કેલ્શિયમ જેવા અનેક ગુણો રહેલા હોય છે.  જેના થકી માનવ શરીરના અંદર યુરિક એસિડ, હાર્ટના પ્રોબ્લેમ, હાથ – પગના જોઈન્ટ ના પ્રોબ્લેમ સરળતાથી સાજા થય શકે, ઉપયોગ કરવા માટે પાણીની અંદર એક પોટકામાં બે ચમચી હોળીની રાખ ભરીને માટલામાં રાખવામાં આવે અને તે પાણી ને પીવામાં આવે તો રેગ્યુલર શરીરને નિરોગી રાખવાનું કામ કરે છે , પાણીને આલ્કલાઇન બનાવવા પાછળ લાખો રૂપિયા ખર્ચ કરીએ છીએ પણ જ્યારે આલ્કલાઇન પાણી ગાય આધારીત છાણાની હોળીની રાખથી સરળતાથી મળી રહે છે.

દસ કિલોની એક ડબ્બી હોળીની શંખ લાવીને આપણા સ્ટોર મોમાં રાખી દઈએ અને આખું વર્ષ આપણા પોતાના પરીવારને નીરોગી રાખીએ , આ હોળીની શખ આપણા કિયને શાઇન કે ગેલરી ગાર્ડન ને સંપૂર્ણ રીતે ઠંડી થયા માટે પણ ઉપયોગી થશે . ખેડૂતોને વિનંતી છે કે કમ સે કમ પોતાના ખેતી માટે બે પાંચ બોરી રાખનો ઉપયોગ કરવો

ગાયના ગોબરમાંથી બનેલી હોળીની રાખથી જો ધૂળેટી રમવામાં આવે તો શરીરના ચામડીના અનેક રોગો દૂર થાય છે એટલે કેમિકલ વાળા કલરની બદલે જો રાખનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ વિનંતી છે.

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના   હોળી પછી વહેલી સવારમાં આ રાખ અચૂક મેળવી લેવી જોઇએ મફત મળે એની વેલ્યુ ન હોય પણ આપણને એનું મહત્વ સમજાય ત્યારે ખુબ મોડું થઈ ગયું હોય છે તો ગાયના ગોબરમાંથી હોળી પ્રગટેલી હોય તેની રાખનો ભરપૂર ઉપયોગ કરી અને પરિવાર સાથે પ્રકૃતિની પણ રક્ષા કરીએ , હોળી પ્રગટાવવા વાળા આયોજકોને પણ વિનંતી છે કે રાખની યોગ્ય વ્યવસ્થા કરી જે લોકો ઉપયોગ કરવા માંગતા હોય તેને ગાયના ગૌબર માંથી હોળી પ્રગટાવેલી રાખ પ્રસાદી રુપે મળી રહે એવી વિનંતી કરવી જોઈએ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.