Abtak Media Google News
  • માંગરોળના શિલગામ રિસામણે રહેલી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો
  • પોપટપરામાં પત્નીને પિયર જવાનીના કહેવા છતાં માવતરે જતા યુવકને ફિનાઇલ પીધું

રાજકોટ શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસનો કેસમાં વધારો થવાના કિસ્સા ચિંતાજનક બન્યો છે. ત્યારે શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં હું મારી મરજીથી જાવ છું. ચીઠ્ઠી લખી યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જયારે માંગરોળમાં શીલગામમાં રિસામણે રહેલી પરિણીતાનો ગળાફાંસો ખાઇ અને પોપટપરામાં ફિનાઇલ પી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવ સિવીલ ચોપડે નોંધાયા છે.

Advertisement

પ્રથમ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરની રામાપીર ચોકડી નજીક શાસ્ત્રીનગરમાં રહેતા સંજયભાઇ હેમરાજભાઇ પરમાર (ઉ.વ.28) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતા મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ છે. પોલીસે બનાવની પ્રાથમિક પુછપરછ હાથ ધરી જેમાં સંજય પરમારે કોઇ અગમ્ય કારણથી પંખા સાથે સાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા યુવકને જમવા માટે બોલાવવા જતા યુવકને ગળાફાંસો ખાયેલી હાલતમાં જોતા આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા. પરિવારજનોને જાણ કરી 108ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરુરી કાર્યવાહી હાથ ધરી જેમાં પોલીસે જણાવ્યું કે, મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમાં ખોટું ન લગાવતા હું મારી મરજીથી જાઉ છું, તેમ લખેલું છે હાલ પોલીસે વધુ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

યુવક પ્લબીંગ કામ કરતો અને ત્રણ ભાઇઓમાં નાનો અને અપરણીત હતો. બીજા બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના શીલગામમાં રહેતી હેતલબેન સાગરભાઇ ભરડા (ઉ.વ.24) નામની પરીણીતાએ ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે રાજકોટ સિવીલમાં ખસેડવામાંઆવેલ છ.ે. પોલીસે બનાવની પ્રાથમિક પુછપરછ હાથ ધરી જેમાં પરીણીતાના લન એક વર્ષ પૂર્વે થયા હતા. જેમાંથી 10 માસથી યુવતિ તેના પીયરમાં રહેતી હતી. પરીણીતાના પતિ સાગર જીણા ભરતનું અન્ય યુવતિ સાથે આડાસંબંધ હોવાથી પરીણીતાએ  ગળાફાંસો ખાધો છે. જેને સારવાર માટે પરીણીતાને રાજકોટ સિવીલમાં ખસેડવામાં આવી છે. વધુમાં પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે સાગર ભરડા, પરીણીતાને છુટાછેડા પણ નથી આપતો અને ઘરમાં સ્વીકારતો પણ નથી જેથી માઠું લાગી આવતા પરીણીતા એ આ પગલું ભર્યુ છે. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પોપટપરા શેરી નં. 8 માં રહેતો દેવરાજ હકાભાઇ દેકાવડીયા (ઉ.વ.ર4) નામના પરીણીતે ફિનાઇલ પી લેતા સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતમાં જણાવ્યું છે કે પત્ની અવારનવાર પીયર જતી હોય જેની પતિએ ના કહેવા છતાં પીપર ગઇ હોવાથી પતિએ ફીનાઇલ ગટગટાવ્યું છે. દંપતિના લગ્નને પ વર્ષ પૂર્ણ અને સંતાનમાં એક પુત્રી છે. યુકવ ડ્રાઇવીંગનું કામ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.