Abtak Media Google News

પ્રેમ સંબંધમાં આડ ખીલ્લી રૂપ બનતા પતિને પત્નીએ અને પ્રેમીએ પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

અંજારના સાગનંદી ગામે રહેતા યુવકને તેની પત્ની અને તેના પ્રેમી સાથે મળી આદિપુર ખાતે પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જ્યારે આ મામલે મૃતક યુવકના ભાઈની ફરિયાદ પરથી પોલીસે તેની પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

Advertisement

આ અંગે મળતી વિગતો મુજબ અંજારના સાગનંદી ખાતે રહેતા સુનિલભાઈ મોહનભાઈ રાજગરએ નોંધાવેલી ફરિયાદમાં તેના ભાઇ વિનોદ રાજગરની હત્યા કરનાર તેની જ પત્ની શોભા વિનોદ રાજગર અને તેના પ્રેમી ઘનશ્યામપૂરી ગોસ્વામીનું નામ આપ્યું હતું.

જેમાં તેને જણાવ્યું હતી કે, તેનો ભાઈ વિનોદ અને તે ગિરીશ ભરવાનું કામ કરતા હોવાથી ગઈકાલે તેનો ભાઈ ગિરીશ ભરવાના કામથી આદિપુર ખાતે ગયો હતો. જ્યારે મોડી રાત સુધી તેનો ભાઈ ત્યાંથી પરત ન આવતા વિનોદને શોધવા માટે તે પોતે આદિપુર ખાતે ગયા હતા. ત્યારે તેની શોધખોળ કરતા તેમને જાણવા મળ્યું હતું કે મુન્દ્રા સર્કલ પાસે આવેલી ચૂંટણી નજીક કોઈ યુવાનની લાશ પડી છે જેથી તે ત્યાં તપાસ કરવા જતા તેનો ભાઈ વિનોદ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો તે સમયે કોઈ નજરે જોનાર વ્યક્તિએ તેને જણાવ્યું હતું કે તેના ભાઈ વિનોદ ત્યાં ગઈકાલે સાંજના સમયે હતા ત્યારે તેની પત્ની શોભા અને તેનો પ્રેમિ ઘનશ્યામ પુરી ગોસ્વામી બંનેએ વિનોદભાઈ સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ બંનેના પ્રેમ સંબંધમાં નડતર રૂપ બનતા વિનોદને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.જેથી આદિપુર પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.