Abtak Media Google News

જૂનાગઢ ‘અબતક’નાં યુવા પત્રકાર દર્શન જોશીના જન્મદિવસ પ્રસંગે નિ:શુલ્ક આયુર્વેદિક તથા હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પ અને  દવા વિતરણ સાથે બ્લડ ગ્રુપીંગ, હાર્ટ, ડાયાબિટીસ અને આંખના નંબર ચેકઅપના કેમ્પનું આયોજન

‘અબતક’ દૈનિક તથા ‘અબતક’ મીડિયા હાઉસ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સહયોગથી જૂનાગઢના અબ તક ના યુવા પત્રકાર દર્શન જોશીના પચીસમાં જન્મદિવસ પ્રસંગે આવતીકાલે રવિવારે જૂનાગઢ ખાતે “સેવાની સરવાણી કાર્યક્રમ અંતર્ગત નિશુલ્ક આયુર્વેદિક તથા હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પ અને દવા વિતરણ સાથે બ્લડ ગૃપીંગ, હાર્ટ, ડાયાબિટીસ અને આંખના નંબર ચેકઅપ ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એ સાથે સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, આયુષ્યમાન કાર્ડ, ઇશ્રમ કાર્ડ,  હેલ્થ કાર્ડ તથા ગ્રે કાર્ડ આ સેવાના સરવાણી કાર્યક્રમ અંતર્ગત કાઢી આપવામાં આવે તે માટે ભવ્યાતી ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવાની સાથે વિનંતી કરવામાં આવી છે.

Advertisement

પોઝિટિવ ન્યૂઝ અને ઇન્ફોર્મટીવ ન્યુઝ સાથે હંમેશા સમાજની સાથે રહી, ચોથી જાગીર તરીકેની ફરજ બજાવી રહેલ અબ તક દૈનિક, ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ મીડિયા દ્વારા જરૂરિયાત મંદ લોકોને સર્વોચ્ય આરોગ્યલક્ષી સેવાઓ નિષણાંત તબીબો અને ટેકનીશન્યો દ્વારા મળી રહે  અને સરકારની વિવિધ યોજનાઓ ક્યાંક ધકા ખાધા વગર તેમના વિસ્તારમાં મળી રહે તેવા શુભ હેતુ સાથે જૂનાગઢ મહાનગરના લોકો માટે “સેવાની સરવાણી” કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવા કાર્ય એક જ સ્થળે, એક જ સમયે યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું. ત્યારે જૂનાગઢની સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનો સહયોગ મેળવી જૂનાગઢના પત્રકાર મિલન ભીખુભાઈ જોશી પરિવાર દ્વારા જૂનાગઢના અબ તક ના યુવા પત્રકાર દર્શન જોશીના જન્મદિવસ પ્રસંગે જૂનાગઢનાં જોષીપરામાં પાણીના ટાંકા પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આવતીકાલે રવિવારે તા. 19/6/2022 ના રોજ સવારના 9 થી 12 વાગ્યા સુધી સેવાની સરવાણી કાર્યક્રમ યોજાશે.

‘અબતક’ દૈનિક તથા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સહયોગથી મિલન જોષી પરિવાર દ્વારા યોજાનાર સેવાની સરવાણી કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદિક અધિકારી  અધિકારી ડો. વારાના માર્ગદર્શન હેઠળ વૈદ્ય અજય પિઠીયા વૈદ્ય એમ.એસ વઢ વાણા, વૈદ્ય ડીજી ઠુંમર વૈદ્ય વસ લીંબાણી, વિદ્યા એચ એચ વાઘેલા વિદ્યા વી.પી. ભાદરકા, ડોક્ટર એચ એચ લાલાણી, જે.જે અજુડીયા દ્વારા દર્દીઓનું નિદાન કરશે તથા જરૂરમંદ દર્દીઓને આયુર્વેદિક તથા હોમિયોપેથિક નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત તબીબો અને ટેકનિશિયન દ્વરા બ્લડ ગૃપિંગ, ડાયાબિટીસ, હાર્ટ ચેકઅપ કેમ્પ તથા આંખના નંબર ચેક આપવાનું પણ આ કેમ્પમાં નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે.

આ આશા સાથે સરકારની વિવિધ યોજનાઓ જરૂરિયાત લાભાર્થીઓને પોતાના વિસ્તારમાં ઘર બેઠા લાભ મળી શકે તે માટે આયુષ્યમાન કાર્ડ, ઈશ્રમ કાર્ડ, હેલ્થ કાર્ડ, ગે કાર્ડ કાઢી આપવા માટે ખાસ વ્યવસ્થા પણ આ “સેવાની સરવાણી” કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે.

આવતીકાલે રવિવારે સવારે 9 થી 12 દરમિયાન યોજવામાં આવેલા આ “સેવાની સરવાણી” કાર્યક્રમ સંપૂર્ણ નિશુલ્ક યોજવામાં આવશે અને સવારે 11 વાગ્યે કાર્યક્રમનું દીપપ્રાગટ્ય કરવામાં આવશે, જે પ્રસંગે જૂનાગઢના સંતો મહંતો, રાજશ્રીઓ અને જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેશે અને જૂનાગઢના યુવા પત્રકાર દર્શન જોશીના 25 માં જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ, શુભેચ્છા પાઠવશે. આ સેવાની સરવાણી કાર્યક્રમનો લાભ લેવા પત્રકાર મિલનભાઈ જોશી, ગીતાબેન એમ.જોષી, બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશી, કાર્તિક ઠાકર તથા અબ તક દૈનિક અને મીડિયા હાઉસ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢના જોષી પરિવારના કિશોર જોશી, દૃષ્ટિ ભટ્ટ, ઓમ રાવલ, નિતલ જોશી, ભાવિન જોશી, જલ્પેશ જોશી, જીગ્નેશ મહેતા, મનીષ મહેતા, ચિંતન ભટ્ટ, રવિ ભટ્ટ, ધર્મિષ્ઠાબેન ઠાકર,  તથા બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ વિશાલ જોશી, મહેશભાઈ શુક્લા, પીસી ભટ્ટ, દેવાંગ વ્યાસ, મયુર જોશી, મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન ડી.જોશી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.